Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

પાકિસ્તાનમાં શીખ યુવાનની હત્યા

ઇસ્લામાબાદ, તા. ૫ : પાકિસ્તાનમાં શીખના પવિત્ર સ્થળ નનકાના સાહેબ ગુરુદ્વારા પર કટ્ટરપંથીઓના હુમલા બાદ આજે પેશાવરમાં એક શીખ યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. રવિન્દ્રસિંહ નામના આ શીખ યુવકે મલેશિયાથી આવીને લગ્ન કરવાની તૈયારી કરી હતી. ભારતે આ હુમલાની નિંદા કરી છે. રવિન્દ્રસિંહ ખેબર પખ્તુનખ્વાનો નિવાસી હતો.

(9:43 pm IST)