Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

અમારા માટે ખેડૂતો અન્નદાતા : કોંગ્રેસ માટે માત્ર વોટબેંક

પલામુ ખાતે પીએમ મોદીના રાહુલ ગાંધી પર આડકતરા પ્રહારો

પલામુ તા. ૫ : વડાપ્રધાન મોદી પોતાની એક દિવસીય મેચ પર આજે શનિવારે પલામુ પહોંચી ચુકયા છે. વડાપ્રધાન મોદી દિવસનાં ૧૧ વાગ્યે ચિયાંકી હવાઇ મથક પર પહોંચ્યા હતા. જયાં રાજયપાલ દ્રોપદી મુર્મુ અને મુખ્યમંત્રી રઘુવરદાસે તેમને સ્વાગત કર્યું. વડાપ્રધાને ૬ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. તેમણે બહુપ્રતિક્ષિત મંડળ ડેમ યોજના મુખ્ય છે. વડાપ્રધાન મોદીએ ઝારકંડનાં ૨૫ હજાર લાભ લેનારાઓને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ગૃહપ્રવેશ પણ કરાવ્યો. પાંચ લોકોને ચાવી સોંપવામાં આવી.ઙ્ગ

વડાપ્રધાને કહ્યું કે, આઝાદી બાદ એટલા દિવસો સુધી દેશ કઇ રીતે ચાલી રહ્યો છે તેનાં માટે આ યોજના કેસ સ્ટડી છે. તેમણે કોંગ્રેસ પર ખેડૂતને માત્ર વોટબેંક બનાવીને રાખવાનો આરોપ લગાવ્યો સાથે જ તેમણે કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા માને છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે ગત સરકાર પર પણ હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, મંડળ ડેમ ગત સરકારોની નિષ્ફળતાની ગવાહી આપે છે. તેમણે કહ્યું કે, ૪૭ વર્ષોથી આ યોજના લંબાયેલી પડી છે. ગત ૨૫ વર્ષોથી તો તે ઠપ્પ પડી હતી.ઙ્ગ

સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપી, તેમણે વડાપ્રધાન આવાસ યોજનાનાં ૨૫ હજાર લાભ લેનારાઓને શુભકામના આપી. તેમણે કહ્યું કે, ઘર પાકુ હોય તો સપના પણ સારા આવે છે. વડાપ્રધાને કહ્યું કે, ખેડૂતોનું જીવન બદલનારી ૩૫૦૦ કરોડની યોજનાનો શિલાન્યાસ થયો છે. દેશનાં ખેડૂતો સુધી નવી ટેકનોલોજી પહોંચાડવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, આ યોજનાથી સિંચાઇની સાથે સાથે પાણી પણ મળશે.ઙ્ગ

જયારે બિહાર ઝારખંડ એક હતું, ત્યારે અહીંની સરકારોને ખેડૂતોની જરા પણ ફિકર હોત તો આજે આવું ન હોત. તેમણે કહ્યું કે, એક તરફ જયાં બે રાજયો વચ્ચે પાણી મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, બીજી તરફ બિહાર અને ઝારખંડના સંયુકત પ્રયાસથી આજે આ યોજના સફળતાની કગાર પર છે. તેમણે કહ્યું કે, તેના માટે હું બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસને તેના માટે શુભકામનાઓ આપી છે, અન્ય રાજયો માટે આ શીખ છે.ઙ્ગ

નામ લીધા વગર જ વડાપ્રધાને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો તો તેમ પણ નથી કહી શકતા કે ઉત્તર કોયલ યોજના કયા પક્ષીનું નામ છે કે કોઇ યોજનાનું નામ.ઙ્ગતેમણે કહ્યું કે, અમે સિંચાઇની યોજના પર લગભગ ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ. સાથે જ તેમણે કહ્યું કે, અમે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું, એટલા માટે અમારી સરકારે સિંચાઇ યોજના પર આટલો ખર્ચ કર્યો. તેમણે કહ્યું કે, ગત સરકારોએ ચૂંટણી જીતવાનાં ખેલ માટે ખેડૂતોને દેવાદાર બનાવીને રાખ્યા છે.ઙ્ગ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોને ઘર આપતા માટેની યોજના અગાઉ પણ બની હતી, જો કે નામની ચિંતા વધારે હતી. અમે નરેન્દ્ર મોદી આવાસ યોજના કે નમો યોજના નામ નથી રાખ્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસની યોજનામાં પહેલા નામ નિશ્ચિત થતું હતું. કોંગ્રેસનાં લોકોને પૈસા આપવા પડતા હતા ત્યારે યોજનાનો લાભ મળતો હતો. અમારી સરકારે આ દલાલોને દુર કર્યા અને ટેકનોલોજીનો પ્રયોગ કર્યો. અમારો પ્રયાસ રહ્યો કે ગરીબને ઘર મળે, પરંતુ ગત સરકારમાં માત્ર દલાલોની જ ચિંતા થતી હતી.(૨૧.૨૬)

 

(3:13 pm IST)