Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કન્હૈયાકુમારને રાહત :રાજદ્રોહ મામલે કેસ ચલાવવા રાજ્ય સરકારને મંજૂરી આપવાનો આદેશ કરવા હાઇકોર્ટનો ઇન્કાર

હાલના નિયમો,નીતિ અને કાનૂનના તથ્યો આધારે રાજ્ય સરકારના નિર્ણંય નિર્ભર રહે છે

 

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે રાજદ્રોહ મામલે જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમાર પર કેસ ચલાવવાની મંજૂરી આપવાને લઇને રાજ્ય સરકારને આદેશ આપવા ઇન્કાર કર્યો છે મુખ્ય ન્યાયધીશ ડી,એન,પટેલ અને ન્યાયમૂર્તિ સી,હરિશંકરની પીઠે કહ્યું કે તે આ સબંધે કોઈ આદેશ આપી શકે નહીં,

  પીઠે કહ્યું કે એ દિલ્હી સરકાર પર નિર્ભર છે કે તે હાલના નિયમો,નીતિ કાનૂન અને તથ્યો અનુસાર નિર્ણ્ય કરે કે કેસ ચલાવવો જોઈએ કે નહીં,અદાલતે કહ્યું કે એવી પ્રતીત થાય છે કે અરજીકર્તા પૂર્વ ભાજપ ધારાસભ્ય નંદકિશોર ગર્ગની પ્રાથમિકતા કંઈક અંગત છે

(12:23 am IST)