Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સુદાનમાં સીરામીક ફેકટરીમાં બ્લાસ્ટમાં 23 લોકોનાં મોત :મૃતકોમાં અનેક ભારતીયો

અત્યાર સુધી 16 ભારતીયો લાપતા છે. 7 ભારતીયોને હૉસ્પિટલમાં દાખલ

સુદાનની રાજધાની ખાર્તુમમાં એક સિરામિક ફેકટરીમાં થયેલા એલપીજી સિલિન્ડરને લીધે થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં 130 લોકો ઘાયલ થયા હોવાની ખબર છે. આ ફેકટરીમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો કામ કરતા હતા.

 વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. જોકે, હજી સુધી બ્લાસ્ટમાં કેટલાં ભારતીય લોકોનાં મૃત્યુ થયાં છે તે જાણી શકાયું.નથી 

ખાર્તુમ સ્થિત ભારતીય દૂતાવાસે એની વેબસાઇટ પર જાણકારી આપી છે અને એ મુજબ લાપાતા લોકોમાં મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હોય એમ પણ હોઈ શકે છે.

દૂતાવાસે જાહેર કરેલી માહિતી મુજબ અત્યાર સુધી 16 ભારતીયો લાપતા છે. 7 ભારતીયોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને 3 લોકોને આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે.

(7:00 pm IST)