Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

છત્તીસગઢમાં ઈન્ડો તિબેટિયન દળના ઉશ્કેરાયેલ જવાને પોતાના છ સાથીદારોને ઠાર કર્યા:ખુદને પણ ઠાર કરી દીધો

જવાનને અટકાવવાનો પ્રયાસ કરનારા બે જવાનોને ગંભીર ઇજા

છત્તીસગઢના નારાયણપુર વિસ્તારમાં ઇન્ડો તિબેટિયન દળના ઉશ્કેરાયેલા એક જવાને પોતાના જ સાથીદારો પર ગોળીબાર કરતાં એ છ જવાનો ઠાર થયા હતા. આ ઘટનામાં ગોળીબાર કરનાર જવાન પોતે પણ ઠાર થયો હતો.

ઉશ્કેરાયેલા જવાનને શાંત કરવા અને ટ્રેજેડી અટકાવવાનો પ્રયાસ કરનારા બે જવાનોને ગંભીર ઇજા થઇ હતી. બસ્તરના પોલીસ વડાએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. જો કે ઘટના કેવી રીતે અને કયા કારણે થઇ એની વિગતો હજુ જાણવા મળી નહોતી. પોલીસ વડાએ ઇન્ડો તિબેટિયન દળના છ જવાનો ઠાર થયા હોવાની અને બે જવાનોને ગંભીર ઇજા થઇ હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું.

(12:11 pm IST)