Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

યુપીના રાજભવનને ઉડાવવાનો મળ્યો ધમકીપત્ર 10 દિવસમાં ખાલી કરો નહીંતર અમે ઉડાવી દેશું

ઉગ્રવાદી સંગઠન TSPCએ પત્ર લખી ઉડાવી દેવાની ધમકી આપી

 

લખનૌ : ઉતરપ્રદેશના રાજભવનને ડાયનામાઈટથી ઉડાવવાનો ધમકીપત્ર મળ્યો છે યુપીના લખનૌ સ્થિત રાજભવનને ઉગ્રવાદી સંગઠન TSPC પત્ર લખી ઉડાવી દેવાની ધમકી આપી છે. સાથે 10 દિવસમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને રાજભવન ખાલી કરવાની ધમકી પણ આપી છે.

   ઝારખંડના ઉગ્રવાદી સંગઠન TSPC દ્વારા પત્ર લખી ઉતરપ્રદેશના લખનઉ સ્થિત રાજભવન તંત્ર સહિત રાજ્યપાલને ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. સાથે પત્રમાં લખ્યું છે કે જો રાજ્યપાલ આનંદીબહેન પટેલ 10 દિવસમાં રાજભવન ખાલી નહીં કરે તો અમે ઉડાવી દેશું.

   રાજ્યપાલના મુખ્ય સચિલ હેમંત રાવે પત્રને ગૃહવિભાગને મોકલી દીધો છે. રાજભવનને ઉડાવવાની ધમકી મળતાં ઉતરપ્રદેશ પોલીસ અલર્ટ થઈ છે. અને તાત્કાલિક અસરથી રાજભવનની સુરક્ષા વધારી દેવાઈ છે.

(12:55 pm IST)