Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પાકિસ્તાન,બાંગ્લાદેશ,તથા સીરિયા જેવા મુસ્લિમ રાષ્ટ્રોએ ભારત પાસેથી ધર્મ નિરપેક્ષતા શીખવી જોઈએ : 125 કરોડની વસતિ ધરાવતા દેશમાં તમામ ધર્મીઓ અહિંસાના સિદ્ધાંત સાથે વિકાસ સાધી રહ્યા છે : તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા

લ્હાસા : તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ આજ મંગળવારના રોજ  જણાવ્યું હતું કે પાકિસ્તાન,બાંગ્લાદેશ,તથા સીરિયા જેવા મુસ્લિમ રાષ્ટ્રોએ ભારત પાસેથી ધર્મ નિરપેક્ષતા શીખવી જોઈએ જેથી વિશ્વમાં શાંતિનું સર્જન થાય. તેમણે  ઉમેર્યું હતું કે 125 કરોડની વસતિ ધરાવતા દેશમાં તમામ ધર્મીઓ અહિંસાના  સિદ્ધાંત સાથે વિકાસ સાધી રહ્યા છે

ડોક્કલામ વિવાદ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે એટલું જણાવ્યું કે, બંને દેશોએ સાથે મળીને મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. હિંદી-ચીની ભાઈ-ભાઈના નારો પ્રાસંગિક હોવો જોઈએ.

(7:52 pm IST)