Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

રવિસભામાં જેઠાલાલની હાજરી અચૂક હોય જ

'તારક મહેતા...'સીરિયલની ટીમ રાજકોટ મહોત્સવમાં આવશેઃ તારક મહેતા ફેઇમ-જેઠાલાલ માને છે કે, પૂ.પ્રમુખ સ્વામીજીના દર્શનથી મારૃં જીવન પરિવર્તિત થયું છે

રાજકોટ તા.૪: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના મુખ્ય કલાકાર દિલીપ જોશી-જેઠાલાલ પૂ.પ્રમુખ સ્વામીજીને ખૂબ ભાવપૂર્વક સ્મરે છે.

'અકિલા' સાથે વાતચીત કરતા પૂ.અપૂર્વમુનિજીએ જણાવ્યુ હતુ કે, જેઠાલાલ-દિલીપ જોશી રવિવારે સવારની સભામાં અચૂક હાજરી આપે છે. BAPSમાં તેને રવિસભા કહેવામાં આવે છે. ઘણી વખત તો શુટીંગ ચાલુ હોય, પરંતુ જેઠાલાલ મેકઅપ સાથે રવિસભામાં પહોંચે છે.

જેઠાલાલ એવું માને છે કે, પૂ. પ્રમુખ સ્વામીજીના દર્શનથી મારૂ જીવન પરિવર્તીત થયું છે. જેઠાલાલે એક વખત જણાવેલું આપણને થોડી પ્રસિધ્ધી મળે તો પણ ગર્વ અનુભવીએ છીએ, પરંતુ પૂ.પ્રમુખ સ્વામીજીને દુનિયા આખી વંદન કરે છે, છતાં તેઓ નમ્રતાથી દરેકને હાથ જોડતા હતા. કલાકારો આવનાર છે.

પૂ.પ્રમુખ સ્વામીજી અન્ય ટોચના કલાકારોમાં પણ ખૂબ પ્રિય હતા. પ્રમુખ સ્વામીજીની વિદાય બાદ પ્રકાશિત થયેલા  'સ્વામિનારાયણ પ્રકાશ' મેગેઝિનના વિશેષ અંકમાં અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, પરેશ રાવલ વગેરે કલાકાર વિભૂતિઓએ પૂ.પ્રમુખ સ્વામીજીને ભાવસભર અંજલી આપી હતી. પરેશ રાવલ લખે છે કે, પ્રમુખ સ્વામીજીના અંતિમ દર્શને મને જે અનુભૂતિ થઇ છે એ કયારેય નથી થઇ. પ્રમુખ સ્વામીજીના દર્શાવેલા માર્ગે ચાલવુ એ જ તેમને શ્રધ્ધાંજલી અર્પી ગણાય.

(12:41 pm IST)