Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કોંગ્રેસ હવે ઘાંધી થઇ છે, જનતાની આંખમાં ધૂળ નાંખે છે. ગુજરાત તો કયારનુ કોંગ્રેસને દફનાવી ચૂકયુ છે : નરેન્‍દ્રભાઇ મોદીના જામનગરમાં ચાબખા

જામનગર : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી એ આજે જામનગર ખાતે જાહેર સભા સંૅબોધી હતી જેમા કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્‍યુ ોકે કોંગ્રેસ વર્ષોથી ભારત અને ગુજરાત પ્રત્‍યે ઓરમાયુ વર્તન રાખે છે. કોંગ્રેસ હવે ઘાંધી થઇ છે જનતાની આંખમાં ધૂળ નાખે છે. ગુજરાતે તો કોંગ્રેસને કયારનુય દફનાવી દીધુ છે. અમારે મન તો વિકાસ એકજ બધી જ સમસ્‍યાની સમાધાન છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્‍યુ કે જામનગર મોટા વાવાઝોડા વખતે દરકાર ન લેનાર કોંગ્રેસની સરકાર સામે લોકોમાં ભારે રોષ છે. અને ગુજરાતે એક બનીને કોંગ્રેસ સામે અવાજ ઉઠાવ્‍યો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી.

 

 

(8:42 pm IST)