Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પાટીદારોના રેલા સામે હરીફોનો નવો કિમીયો...ટીવી પ્રસારણ અને અખબારો પણ અટકાવ્યાં..?

રાજકોટ, તા. ૪ :. ગઈકાલે સુરતમાં હાર્દિક પટેલ દ્વારા વિશાળ મહાક્રાંતિ રેલી અને મહાસભા યોજાઈ હતી. જેમાં હજારો પાટીદારો ઉમટી પડયા હતા અને હરીફોને પાડી દેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. પાટીદારોનો મિજાજનો  પ્રતિકાર કર્યો હોવાનું ચર્ચાય છે. સુરતમાં ચર્ચાતી વિગતો મુજબ હાર્દિક પટેલના રોડ-શો અને સભાનું જીવંત પ્રસારણ અનેક ટીવી ચેનલોએ માત્ર બે - ત્રણ મીનીટ દર્શાવી અન્ય કાર્યક્રમો પ્રસારીત કર્યા હતા. જ્યારે અખબારોએ હાર્દિક પટેલની સભા અને રેલીનું જબ્બર કવરેજ આપતા સવારથી ફેરીયાઓ પાસેથી અખબારોની નકલ ખરીદી લીધી હોવાની ફરીયાદો ઉઠી છે. તો કેટલાક વિસ્તારોમાં પાટીદારોના સમાચારવાળુ પેઈજ કટીંગ કરવામાં આવ્યુ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.

(4:49 pm IST)