નવી દિલ્હી તા. ૪ : ભાજપ આ સમયે ગુજરાતમાં જાતીય સમીકરણો અને ૨૨ વર્ષની સત્તા વિરોધ લહેરનો સામનો કરી રહી છે. જોકે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આ મુદ્દા પર શાંત છે અને ભાજપની જીત માટે આશ્વસ્ત છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબાર સાથે એક્સ્ક્યુઝિવ ઈન્ટર્વ્યુમાં તેમણે આશા વ્યક્ત કરી કે પાર્ટી ૧૮૦માંથી ૧૫૦ બેઠક જીતી શકે છે.
તમામ ચૂંટણીઓમાં અનુમાનો લગાવવામાં આવે છે પણ ભાજપ ત્રણ-ચતુર્થાંસ બહુમતીથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યો છે. ગુજરાતના લોકો ૧૯૯૫માં ભાજપના સપોર્ટ કરી રહી છે. હું લોકોને આગ્રહ કરું છું કે તેઓ પાર્ટીમાં વિશ્વાસ બનાવી રાખે અમે રાજયમાં વિકાસના એજન્ડાને આગળ વધારીશું.
ભાજપને હજુ પણ પાટીદાર સમુદાયનું સમર્થન છે. પાછલા દોડ વર્ષમાં એ સાફ થઈ ગયું છે કે અનામત માટે ચાલતા આખું આંદોલન કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત છે. હવે કોઈ પણ અનામતની વાત નથી કરી રહ્યું. ત્યાં સુધી કે કોંગ્રેસ પણ અનામતની વાત કરવાથી બચી રહ્યો છે અને એ સાફ થઈ રહ્યું છે કે તે કોઈ મુદ્દો નથી. પટેલ સમાજને એ અહેસાસ થઈ ગયો છે કે સમાજમાં વિભાજન માટે કોંગ્રેસના ઈશારે આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું.
મને નથી લાગતું. કોંગ્રેસ ગુજરાતમાં જાતિ આધારિત રાજકારણ થોપવાની કોશિશ કરી રહ્યું છે અને આવું તેઓ પહેલા પણ કરી ચૂક્યા છે. ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ)ની થિયરી કોંગ્રેસ દ્વારા બનાવાઈ છે, જેના કારણે ઘણાં વર્ષો સુધી ગુજરાતના લોકોને નુકસાન ભોગવવું પડ્યું. ઘણી જાતિઓ વચ્ચે ટક્કરો થઈ, ઘણાં મહિનાઓ સુધી કફર્યુ રહ્યા અને ઘણાં લોકોને પોતાના જીવ ગુવવા પડ્યા. આ બધામાં રાજયનો વિકાસ રોકાયો હતો.
મને લાગે છે કે ગુજરાતના લોકો જાતિ આધારિત રાજકારણને નકારી રહ્યા છે અને જનતા ભાજપના વિકાસના એજન્ડાને વોટ કરશે. જયાં સુધી જીએસટીની વાત છે, મોદીજીની સરકારે હજુ સુધી આ મુદ્દા પર ચર્ચા કરી છે અને તમામ મુદ્દાનું નિરાકરણ લાવી દીધું છે. સંક્ષેપમાં કહું તો લોકો અમારા પર વિશ્વાસ કરે છે અને સરકાર જીએસટીને પીપલ ફ્રેન્ડલી બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
મોદીજી પીએમ બન્યા પછી ઘણાં સકારાત્મક પરિવર્તન આવ્યા છે. તેમણે ગુજરાતમાં વિકાસ માટે ઘણી પહેલ કરી છે. જયારે તેઓ મુખ્યમંત્રી હતા તો કેન્દ્ર સરકાર ગુજરાત સાથે ખરાબ વર્તન કરતું હતું. હવે મોદી પીએમ છે અને વિજયભાઈ સીએમ, તેનાથી ગુજરાતના વિકાસની ઝડપ વધી ગઈ છે.
ઘણાં મુદ્દા એવા છે જેનાથી નર્મદા બંધની ઉંચાઈનો મામલો માત્ર ૧૪ દિવસમાં ઉકેલ લાવી દીધો હતો. ઓઈલ રોયલ્ટીનો મુદ્દો પણ હતો જેમાં ૮ હજાર કરોડના લાભની વાત હતી. રાજયમાં ૧,૨૦૦ કિલોમીટર માર્ગના નિર્માણને મંજૂરી આપવામાં આવી. ૧૩માં નાણાકીય વર્ષમાં રાજયને ૬૩,૦૦૦ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી હતી, હવે અનુદાન વધારીને ૧,૫૮.૦૦૦ કરોડ રુપિયા કરાયું છે. તેનાથી ઘણો વર્ષો પછી ગુજરાતના લોકોને રાજય અને કેન્દ્ર બન્ને સરકારોનો સહયોગ મળી રહ્યો છે.
હું સત્તા વિરોધી લહેરનો ઈનકાર નથી કરતો. પાર્ટીમાં ઘણાં વર્ષો સુધી સત્તામાં રહ્યા પછી આવી લહેર આવવી સ્વાભાવિક છે, પણ તમે વાયદા પૂરા કર્યા હોય તો તમે તમારો મત વિકાસના એજન્ડા પર બચાવી શકો છો જેમાં ભાજપ સફળ થયો છે. રાજયમાં ૨૪ કલાક વીજળીની આપૂર્તિ છે, દેશમાં સૌથી સારા માર્ગો છે અને ઘણી લોકકલ્યાણકારી યોજનાઓ પર કોઈ આંગળી નથી ઉઠાવી શકતું. ભાજપે સકારાત્મક રીતે પોતાના મત બનાવ્યા છે. આજે ગુજરાત કફર્યુ અને ટેંકરથી મુક્ત થયું છે. રાજય સરકારની સફળતાથી અમે ૧૫૦ બેઠકો જીતવામાં સફળ થયા છીએ.
શાહે જણાવ્યું, ‘રાહુલ ગાંધી એ કહેવા માંગે છે કે વિકાસ ખરાબ છે. હવે તે આ બોલતા બંધ થઈ ગયા છે. તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગયા છે. તેમણે રાજયના રસ્તા, ૨૪ કલાક વીજળી વગેરે જોયુ છે. એટલે જ તે રાજયમાં વિકાસની વાત નથી કરતા.'
વિવિધ જાતિના નેતાઓ કોંગ્રેસનુ સમર્થન કરી રહ્યા છે ત્યારે ભાજપના જાતિ ગણિત અંગે વાત કરતા શાહ કહે છે, ‘જે જાતીય નેતાઓની તમે વાત કરો છો તે હંમેશાથી કોંગ્રેસનો જ હિસ્સો હતા. ત્રણે આંદોલન કોંગ્રેસના સમર્થન માટે કરવામાં આવ્યા હતા. ખામ ફોર્મ્યુલા કોંગ્રેસ લાવ્યુ હતુ. આ કારણે રાજયને વર્ષો સુધી નુકસાન થયુ હતુ. કોંગ્રેસે ફરી એકવાર જાતીય રાજનીતિ શરૂ કરી દીધી છે પરંતુ તે તેમાં સફળ નહિ થઈ શકે. ભાજપ વિકાસના મુદ્દા પર ચૂંટણી લડે છે અને અમને વિશ્વાસ છે કે પાર્ટીને લોકોનુ સમર્થન મળશે.'
અત્યાર સુધી ભાજપ વડાપ્રધાન મોદીના ગુજરાત મોડેલ પર ચૂંટણી લડતુ હતુ. હવે આ ગુજરાત મોડેલ પર જ પ્રશ્નો ઊઠી રહ્યા છે. આ અંગે અમિત શાહે જવાબ આપ્યો, ‘ગુજરાત મોડેલ પર પ્રશ્ન ઊઠાવવાનું કોઈ નક્કર કારણ જ નથી. રાહુલ ગાંધી ગુજરાતમાં સ્કૂલો બંધ થવાની વાત કરે છે પરંતુ હું તેમને પડકાર ફેંકુ છું કે તે એક સ્કૂલનુ તો નામ આપી બતાવે જે બંધ થઈ હોય. શક્ય છે કે ટેક્નિકલ કારણોસર કોઈ સ્કૂલ બંધ થઈ હોય પરંતુ હજારો શાળાઓ બંધ થવાનો આરોપ પાયાવિહોણો છે. કોંગ્રેસના શાસનમાં ૬૫ ટકા એડમિશન થતા હતા જે ભાજપના શાસનમાં વધીને ૯૯ ટકા થઈ ગયા છે. કોંગ્રેસના સમયે ડ્રોપ આઉટ રેટ ૩૮ ટકા હતો જે હવે માત્ર ૩ ટકા જ છે.'
રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા અમિત શાહે જણાવ્યું, ‘બે મહિના પહેલા જ મેં અમેઠીમાં કલેક્ટર ઓફિસનું ભૂમિપૂજન કર્યુ હતુ. રાહુલ ગાંધી જણાવશે કે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ અમેઠીમાં કલેક્ટર ઓફિસ કેમ નથી બની? અમેઠી એવુ ગામ છે જયાં વીજળી નથી પહોંચી અને રાહુલ અમારા વિકાસ મોડેલ પર પ્રશ્ન ઊઠાવે છે.'
અમિત શાહ ભાજપના પાર્ટી અધ્યક્ષ છે. શું તે ગુજરાતમાં સંગઠનની તૈયારીઓથી સંતુષ્ટ છે? તેનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું, ‘અમારા સંગઠનના મૂળિયા દરેક ગામ સુધી ફેલાયેલા છે. અમારી એક્ટિવ મેમ્બર્સ વાળી બૂથ કમિટી છે. હું બધા જ જિલ્લાઓમાં ફર્યો છું અને મેં વિધાનસભા ક્ષેત્રોની મુલાકાત લીધી છે. અમારા કાર્યકર્તા મજબૂતીથી કામ કરી રહ્યા છે અને લોકો પાસેથી વિકાસના એજન્ડા પર વોટ માંગી રહ્યા છે.'
ઉત્તર પ્રદેશની ચૂંટણીના રિઝલ્ટ પછી અમિત શાહે તરત જ કોંગ્રેસ ગયો છે એવી ટિપ્પણી કરી હતી. શાહ કહે છે, ‘સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશનુ રિઝલ્ટ લોકોનો મૂડ દર્શાવે છે. લોકો વડાપ્રધાન મોદીના વિકાસના એજન્ડાથી ખુશ છે. યુ.પીમાં યોગી આદિત્યનાથની સરકાર સારુ કામ કરી શકે છએ. રાહુલ ગાંધી ગુજરાતમાં વિકાસની વાત કરે છે ત્યારે અમેઠીમાં ભાજપનો વિજય બધુ જ સ્પષ્ટ કરી દે છે. ૫૦ વર્ષથી તેમના પરિવાર પાસે અમેઠીની સીટ છે અને તે પોતાના લોકોને નથી સમજાવી શક્યા તો ગુજરાતમાં વિકાસના વાયદા કેવી રીતે કરી શકે?'
ભાજપના ૧૫૦ સીટના દાવાને તેમના પ્રતિસ્પર્ધીઓ ઘમંડ અને ઓવર કોન્ફિડન્સ ગણાવી રહ્યા છે. જો કે અમિત શાહનું આ અંગે બીજો જ દૃષ્ટિકોણ ધરાવે છે. તે કહે છે, ઙ્કતમે સમજો કે ૨૦૧૪નન લોકસભા ચૂંટણી પછી ભાજપની વોટની ટકાવારી ઓછી નથી થઈ. તમે મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર કે દિલ્હીનું જ ઉદાહરણ લઈ લો. જો હું ૨૦૧૪ના હિસાબે ગણના કરુ તો અમને ૧૬૫ સીટ મળી શકે છે. આ માટે અમે ૧૫૦ સીટનુ ટાર્ગેટ રાખ્યુ છે જે ઘણુ વાસ્તવિક છે.'
ગઈ ચૂંટણીથી વિપરિત આ વખતે ભાજપે સીટીંગ એમએલએને ફરી ટિકિટ આપી છે. શું પાર્ટી આ વખતે રિસ્ક લેતા ડરી રહી છે? આ અંગે ખુલાસો કરતા અમિત શાહે જણાવ્યું, ‘તમને ખોટી જાણકારી છે. આ વખતે પણ અમે ૩૬ સીટીંગ એમએલએને ટિકિટ નથી આપી. ગયા વખતે અમે ૩૨ એમએલએને ટિકિટ નહતી આપી.'
કેટલાંક લોકોનું માનવુ છે કે ભાજપ અનામત આંદોલન શામવા વધુ સારા પગલા લઈ શકત અને તેમને પોલીસ એક્શનની જરૂર પણ નહતી. જો કે શાહ આ વાત સાથે સંમત નથી. તેમનું માનવુ છે કે, ‘મને નથી લાગતુ કંઈ ખોટુ થયુ. જયારે પણ કોઈ આંદોલન શરૂ થાય ત્યારે લોકો કન્ફયુઝ થઈ જાય છે. પરંતુ આંદોલનકારી નેતાઓની સચ્ચાઈ સામે આવવે ત્યારે તેમના સાચા એજન્ડા ખબર પડે છે. હવે કોઈ અનામતના મૂળ મુદ્દા પર વાત જ નથી કરી રહ્યા.'
કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ શાહ અલ્પેશ ઠાકોરના સંપર્કમાં હતા. શાહ જો કે આ વાત માનવા તૈયાર નથી. તે કહે છે, ‘આ મીડિયાએ ઉડાવેલી વાત છે. ત્રણ આંદોલન કોંગ્રેસની નીંવ પર જ ઊભા કરવામાં આવ્યા હતા. એટલે જ ત્રણે નેતા કોંગ્રેસમાં ભળી ગયા છે. કોંગ્રેસ પાસે સરકાર વિરોધી કોઈ મુદ્દો જ નથી એટલે તે જૂની પુરાણી જાતિ આધારિત રાજનીતિની યુક્તિ રમી રહી છે.'