Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

તેજસ એકસપ્રેસ ટ્રેનને યોગી દ્વારા લીલીઝંડી આપી દેવાઇ

ઇન્તજારનો અંત : પ્રથમ કોર્પોરેટ ટ્રેનને લીલીઝંડી : આ પ્રથમ ટ્રેનના પ્રવાસીઓને રપ લાખ રૂપિયાનો વીમો આપવામાં આવ્યો : ટ્રેનમાં વિશેષ પ્રકારની નવી સુવિધા

નવીદિલ્હી, તા. ૪: છેલ્લા કેટલાક દિવસથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેનને આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. લખનૌથી દિલ્હી વચ્ચે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આઇઆરસીટીસીની પ્રથમ ટ્રેનના યાત્રીઓને ૨૫ લાખ રૂપિયાનો ફ્રીમાં વીમો આપવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ કોર્પોરેટના અધિકારીઓ અને કર્મચારીઓને મહેમાનો સાથે કેવુ વર્તન કરવામાં આવે તે બાબતની ખાસ સુચના આપી છે. દેશની પ્રથમ કોર્પોરેટ સેક્ટરની આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવ્યા બાદ પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દેશની આ પ્રથમ પ્રાઇવેટ ટ્રેન સફર પર રવાના થઇ ચુકી છે. લખનૌ જક્શન પરથી આને લીલીઝંડી આપી દેવામાં આવી છે. ઇન્ડિયન રેલવેદ્વારા તેજસના ભાડાની પણ જાહેરાત કરી દીધી છે. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે.  યાત્રીઓ આના પર બુકિંગ તરત જ કરાવી શકે છે. બે કલાક ટ્રેન લેટ થશે તો ૨૫૦ રૂપિયા સુધીનુ વળતર આપવામાં આવનાર છે. તેજસ એક્સપ્રેસમાં એસી ચેર કારમાં લખનૌથી દિલ્હી માટે ૧૧૨૫ રૂપિયાનુ ભાડુ ચુકવવા માટેની ફરજ પડશે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં દરરોજ ચાલશે. ચોથી ઓક્ટોબરના દિવસથી આ ટ્રેન દોડનાર છે. ટ્રેન ગાજિયાબાદ અને કાનપુરમાંથી દોડશે. લખનૌથી દિલ્હી આવતી વેળા આ બે સ્ટેશન રહેનાર છે. તેજસનુ સંચાલન સંપૂર્ણ રીતે ખાનગી કંપની આઇઆરસીટીસી દ્વારા કરવામાં આવનાર છે. તેજસ ટ્રેનમાં એસી ચેરકાર, અને એગ્ઝિક્યુટિવ  ચેરકાર અને બે બોગી રહેશે. ટિકિટ બિકિંગ માત્ર આઇઆરસીટીસીની વેબસાઇટ અને મોબાઇલ એપ પર રહેશે. આ ટ્રેન માટે કોઇ તત્કાલ ક્વોટાની વ્યવસ્થા કરવામાં આવી નથી. આમાં માત્ર સામાન્ય  ક્વોટા અને વિદેશી પ્રવાસી ક્વોટાની વ્યવસ્થા રાખવામાં આવી છે. વિમાની સેવાની જેવી સુવિધાની સાથે સાથે શોપિંગની સુવિધા પણ આપવામાં આવનાર છે. બેઝ ફેયર ૮૯૫ રૂપિયા અને ૪૫ રૂપિયા જીએસટીની વ્યવસ્થા છે. ૧૮૫ રૂપિયાનો કેટરિંગ ચાર્જ છે. તેજસ એગ્ઝિક્યુટિવ ેચેરકારમાં મુસાફરી કરો તો આના માટે ૨૩૧૦ રૂપિયાની ચુકવણી કરવી પડી શકે છે. તેમાં ૧૯૬૬ રૂપિયાના બેઝ ફેયર, ૯૯ રૂપિયા જીએસટી ચાર્જ અને ૨૪૫ રૂપિયા કેટરિંગ ચાર્જ લાગુ કરવામાં આવનાર છે. (૯.૧૨)

અમદાવાદ-મુંબઇ વચ્ચે હવે તેજસ ટ્રેન શરૂ...

 લખનૌ,તા. ૪: દિલ્હી-લખનૌ બાદ નવેમ્બરમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન શરૂ કરવામાં આવનાર છે. રેલવે બોર્ડના અધ્યક્ષ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઇ તેજસ ટ્રેન હવે શરૂ કરવામા ંઆવનાર છે. રેલવે બોર્ડના અધ્યક્ષના કહેવા મુજબ આગામી દિવસોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે રીતે એરપોર્ટ ચલાવે છે તેવી જ રીતે પ્રાઇવેટ કંપનીઓ હવે ટ્રેન ચલાવનાર છે. તેમણે કહ્યુ હતુ કે દુનિયાભરની પ્રાઇવેટ ટ્રેન કંપનીઓ આવી જ રીતે હવે કામ કરે છે. ટ્રેનને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. હવે યાત્રીઓને વધારે વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. યાત્રા દરમિયાન સામાનની ચોરી થવાની સ્થિતીમાં પણ ફાયદો આપવામાં આવનાર છે. આના માટે એક લાખ રૂપિયાનુ વળતર આપવામાં આવનાર છે. તમામ પાસા પર હાલમાં વિચારણા ચાલી રહી છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે યાત્રીઓની સંખ્યા વધારે છે.

પ્રાઇવટ કંપનીઓ હવે ટ્રેનો ચલાવવા તૈયાર છે

તેજસ ટ્રેનની સાથે સાથે

 નવી દિલ્હી, તા,૪:  છેલ્લા કેટલાક દિવસથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેનને આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. લખનૌથી દિલ્હી વચ્ચે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આઇઆરસીટીસીની પ્રથમ ટ્રેનના યાત્રીઓને ૨૫ લાખ રૂપિયાનો ફ્રીમાં વીમો આપવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ કોર્પોરેટના અધિકારીઓ અને કર્મચારીઓને મહેમાનો સાથે કેવુ વર્તન કરવામાં આવે તે બાબતની ખાસ સુચના આપી છે. તેજસ ટ્રેનની શરૂઆતની સાથે સાથે નીચે મુજબ છે

*    દેશની આ પ્રથમ પ્રાઇવેટ ટ્રેન સફર પર રવાના થઇ ચુકી છે. લખનૌ જક્શન પરથી આને લીલીઝંડી આપી દેવામાં આવી છે.

*    આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે.  યાત્રીઓ આના પર બુકિંગ તરત જ કરાવી શકે છે.

*    બે કલાક ટ્રેન લેટ થશે તો ૨૫૦ રૂપિયા સુધીનુ વળતર આપવામાં આવનાર છે.

*    તેજસ એક્સપ્રેસમાં એસી ચેર કારમાં લખનૌથી દિલ્હી માટે ૧૧૨૫ રૂપિયાનુ ભાડુ ચુકવવા માટેની ફરજ પડશે.

*    તેજસ એક્સપ્રેસ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં દરરોજ ચાલશે.ે

*    ટ્રેન ગાજિયાબાદ અને કાનપુરમાંથી દોડશે. લખનૌથી દિલ્હી આવતી વેળા આ બે સ્ટેશન રહેનાર છે

*    તેજસનુ સંચાલન સંપૂર્ણ રીતે ખાનગી કંપની આઇઆરસીટીસી દ્વારા કરવામાં આવનાર છે. તેજસ ટ્રેનમાં એસી ચેરકાર, અને એગ્ઝિક્યુટિવ  ચેરકાર અને બે બોગી રહેશે.

*    આ ટ્રેન માટે કોઇ તત્કાલ ક્વોટાની વ્યવસ્થા કરવામાં આવી નથી. આમાં માત્ર સામાન્ય  ક્વોટા અને વિદેશી પ્રવાસી ક્વોટાની વ્યવસ્થા રાખવામાં આવી છે.

*    વિમાની સેવાની જેવી સુવિધાની સાથે સાથે શોપિંગની સુવિધા પણ આપવામાં આવનાર છે

*    બેઝ ફેયર ૮૯૫ રૂપિયા અને ૪૫ રૂપિયા જીએસટીની વ્યવસ્થા છે. ૧૮૫ રૂપિયાનો કેટરિંગ ચાર્જ છે. તેજસ એગ્ઝિક્યુટિવ ેચેરકારમાં મુસાફરી કરો તો આના માટે ૨૩૧૦ રૂપિયાની ચુકવણી કરવી પડી શક

*    તેજસ ટ્રેનની શરૂઆત કરાયા બાદ ઉત્સુકતા વધી ગઇ છે

(3:51 pm IST)