Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અમિતભાઈએ વંદે ભારત એકપ્રેસને લીલી ઝંડી આપી

દિલ્હીથી વૈષ્ણોદેવીની સફર ૮ કલાકમાં પૂરી કરશે

નવીદિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વૈષ્ણોદેવી જવા દિલ્હી- કટરા રૂટની વંદે ભારત એકસપ્રેસને લીલી ઝંડી આપી હતી. દિલ્હીથી સવારે ૬ વાગ્યે ઉપડતી વંદે ભારત એકસપ્રેસ ૮ કલાકમાં કટરા સુધીનું અંતર પુરૂ કરશે. કાલથી ટ્રેન તેના રૂટ ઉપર સામાન્ય લોકો માટે ઉપલબ્ધ બનશે. નરેન્દ્રભાઈએ ટ્વીટ કરી ટ્રેનને નવરાત્રિ ઉપર જમ્મુ માટે ખાસ ભેટ ગણાવી હતી.

(3:29 pm IST)