Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રિપબ્લીક ચેનલના વધુ એક પત્રકાર જમ્મુ કાશ્મીરના તેજીન્દર સિંઘ સોઢીનું રાજીનામું

અર્નબ ગોસ્વામીની ચેનલના ટીઆરપીમાં થઇ રહ્યો છે વધારો પણ પત્રકારોમાં ઘટાડો

નવી દિલ્હી, તા.૪: અર્નબ ગોસ્વામીની ચેનલ રિપબ્લીક ટીવીમાંથી છેલ્લા વર્ષોમાં ઘણા પત્રકારો નીકળી ગયા છે અને કોઇ સારા પત્રકાર તેમાં જોડાવા તૈયાર નથી. ઘણા લોકોએ આના માટે અર્નબ ગોસ્વામીના આક્રમક અને અમાનવીય વ્યવહારને જવાબદાર ઠેરવ્યો છે. તેમાં છેલ્લો ઉમેરો રીપબ્લીક ટીવીના જમ્મુ કાશ્મીર બ્યુરો ચીફ તેજીન્દરસીંઘ સોઢીનો થયો છે.

સોઢીના પત્રમાં રિપબ્લીક ટીવીની શોકીંગ આંતરીક કાર્ય પ્રણાલી અને અર્નબ ગોસ્વામીના આક્રમક સ્વભાવ અંગે જાહેર  કરાયુ છે. ૩૬૦૦ શબ્દોના આ લાંબા પત્રમાં લખાયું છે કે પોતાની સામેના આપઘાત કેસમાં કેવી રીતે અર્નબે પત્રકારોનો મુંબઇ પોલિસ સાથેની ડીલ માટે ઉપયોગ કર્યો હતો.

(3:00 pm IST)