Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

1 સપ્ટેમ્બરથી " વંદે ભારત મિશન " છઠ્ઠો તબક્કો શરૂ : અત્યાર સુધીમાં 13 લાખ જેટલા ભારતીયોને વિદેશોમાંથી વતનમાં પરત પહોંચાડયા

ન્યુદિલ્હી : કોરોના વાઇરસને કારણે વિદેશોમાં રોકવા મજબુર થયેલા ભારતીયોને વતનમાં પરત લાવવા માટે 27 મે થી " વંદે ભારત મિશન " શરૂ કરાયું હતું.જેનો છઠ્ઠો તબક્કો 1 સપ્ટેમ્બરથી શરૂ થયો છે.
 અત્યાર સુધીમાં 13 લાખ જેટલા ભારતીયોને વિદેશોમાંથી વતનમાં પરત પહોંચાડવામાં આવ્યા છે તેવું વિદેશ મંત્રાલયના પ્રવક્તા  અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે મિશનના છઠ્ઠા તબક્કામાં જુદા જુદા 24 દેશોમાંથી 2 લાખ જેટલા ભારતીયોને વતનમાં પરત લાવવાનું આયોજન છે.

(8:13 pm IST)