Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

બાંગ્લાદેશમાં આકાશી વીજળી પડતા 16 જાનૈયાઓના મોત : વરરાજા સહીત 12 લોકોને ઇજા

જાનૈયા વીજળીના ચમકારા વચ્ચે ભારે વરસાદથી બચવા એક આશ્રય સ્થળે જવા નાવમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે આકાશી વીજળી ત્રાટકી

બાંગ્લાદેશમાં બુધવારે રાત્રે જાનને લઈને જઈ રહી એક નાવ પર આકાશી વિજળી પડવાથી 16 લોકોની મોત નિપજ્યા છે

આ ઘટના ભારતની સીમાથી લાગેલા ચાંપાઈનબાબગંજ જિલ્લાના શિવગંજ જિલ્લામાં બની છે . તેમાં ઈજાગ્રસ્ત થયા 12 માણસોમાં વર પણ શામેલ છે જાન લઈ જઈ રહી નાવ પર આકાશી વિજળી પડવાથી તેમાં સવાર 16 જાનૈયાની મોત થયા છે 

રબ્બીએ કહ્યુ કે આ દુર્ઘટના તે સમયે થઈ જયારે જાનૈયા અચાનક ગરજ અને ચમકની સાથે આવી માનસૂની વરસાદથી બચવા માટે એક આશ્રય સ્થળમાં રોકાવવા નાવથી એક -એક કરીને ઉતરી રહ્યા હતા.

અધિકારીએ કહ્યુ કે આ ઘટનામાં વર બચી ગયો પણ બીજા 11 લોકો સાથે તે ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તેણે કહ્યુ કે ઈજાગ્રસ્તને સરકારી હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.

(11:31 pm IST)