Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અડવાણીના સચીવની જાહેરાતઃ કોઇ જ આમંત્રણ મળ્યું નથી

ટ્રસ્ટના મહામંત્રી ચંપતસિંહે પણ અડવાણી સાથે વાત કરી પરંતુ અડવાણીએ હાજરી આપવા અનિચ્છા દર્શાવી !!!

ગઇકાલે સાંજે રામજન્મભૂમિ મંદિર શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહાનુભાવોનું અંતિમ લીસ્ટ જાહેર થઇ ગયું છે. ત્યારે ગઇકાલ સુધી દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી એલ.કે. અડવાણીને રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી કોઇ નિમંત્રણ મળ્યું નથી. અડવાણીજીના અંગત સહાયક શ્રી દિપક ચોપરાએ ટેલીગ્રાફ ને કહયું છે કે કોઇપણ પ્રકારનું આમંત્રણ અડવાણીજીને મળ્યું નથી.

અડવાણીજીને ૯૦ વર્ષની ઉપરની તેમની વય હોય કોરોના સંદર્ભે પ્રવાસ જોખમી હોય આમંત્રણ અપાયું નથી તેવુ બહાર આવ્યું છે.

 દરમિયાન ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે કહ્યું હતુ કે  તેમણે અડવાણીજી સાથે વાત કરી હતી પરંતુ આ વયોવૃધ્ધ નેતાએ મહામારીના સંદર્ભે હાજરી આપવા અનિચ્છા દર્શાવી હતી.

(11:36 am IST)