Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

૧૫મી ઓગષ્ટની ઉજવણી લોહીયાળ બનાવવા આઈએસઆઈના ભયાનક ઈરાદાઃ લંડનમાં શીખ અલગાવવાદીઓને એકઠા કરવાની તૈયારીમા

ંલંડન, તા. ૪ :. પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાન જ્યાં ભારત સાથે એક તરફ મિત્રતાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ પાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યુ છે. આઈએસઆઈ લંડનમાં બેઠા બેઠા ભારતના ૭૧માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખલેલ પહોંચાડવાની વ્યાપક યોજના બનાની રહ્યુ છે.

સ્વતંત્રતા દિવસના પ્રસંગે આઈએસઆઈ ખાલીસ્તાની સમુહોને પોતાના એજન્ડા માટે ઉપયોગ કરી રહ્યુ છે અને લંડનમાં ખાલીસ્તાન સમર્થનમાં રેલી આયોજીત કરવામાં સહયોગ પણ આપી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાલીસ્તાન સમર્થક એક સમુહે લંડનમાં કાશ્મીરી અલગાવવાદીઓની સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ૧૨ ઓગષ્ટ માટે પોતાની યોજનાનો ખુલાસો કર્યો હતો.(૨-૪)

(11:54 am IST)