Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજકીય પક્ષોના પ્રચારનો ઘોંઘાટ ચરમસીમાએ : મધ્યપ્રદેશની નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસની બેક ટુ બેક મીટિંગ

પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીને BJPની B ટીમ ગણાવી : રાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં કોંગ્રેસ જ ચૂંટણી જીતશેનો દાવો કર્યો

ભોપાલ તા.04 : મધ્યપ્રદેશની નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજવાની છે. જેને લઈ તમામ પક્ષ પોતાની એડીથી લઈ ચોટી સુધીનો જોર લગાવી રહ્યા છે. તેમજ કોંગ્રેસે પણ ચૂંટણી લક્ષી બેક  ટુ બેક મિટિંગ યોજવાનું શરૂ કરી દીધું છે અને રાજ્યની મોટા ભાગની સંસ્થાઓમાં કોંગ્રેસ જ ચૂંટણી  જીતશેનો આશીર્વાદ પણ વ્યક્ત કર્યો છે.

રવિવારે મોડી સાંજે પૂર્વ મુખ્યમંત્રી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલનાથ અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે ભોપાલમાં મધ્ય વિધાનસભા મતવિસ્તારના જિનસી અને ઈટવારા વિસ્તારમાં બેક ટુ બેક બે મીટિંગ કરી હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી અને સ્થાનિક ધારાસભ્ય આરિફ મસૂદ પણ જોડાયા હતા.

સભાને સંબોધતા કમલનાથે ભાજપ પર કટાક્ષ કર્યો અને પોતાના કાર્યકાળની ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કમલનાથે કહ્યું કે, કોંગ્રેસે મેટ્રો પ્રોજેક્ટ શરૂ કર્યો, મોટા તળાવની સફાઈ કરાવી અને ભોપાલને હરિયાળું બનાવવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ચૂંટણી ભોપાલનું ભવિષ્ય નક્કી કરશે કે 10 વર્ષ પછી ભોપાલ કેવું હશે. આજના યુવાનોને પોતાના હાથમાં કામની જરૂર છે. અમારા બજારો ખેડૂતો ચલાવે છે, ખેડૂતોને મજબૂત બનાવવાના છે. તેમજ તમણે ઉમેરતા કહ્યું કે, અમારી સરકારે રોકાણ માટે વિશ્વાસ બનાવવાનું કામ કર્યું છે. ભાજપ પર નિશાન સાધતા કમલનાથે કહ્યું કે, અમારી સંસ્કૃતિ જોડવાની છે. કોંગ્રેસે દરેક ધર્મ અને સંસ્કૃતિને જોડી છે.

ભોપાલમાં નાગરિક સંસ્થાઓની ચૂંટણીની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ સીએમ દિગ્વિજયસિંહે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતાં તેમને BJPની B ટીમના સભ્ય ગણાવ્યા હતા. તેમજ દિગ્વિજયસિંહે દાવો કર્યો હતો કે રાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં માત્ર કોંગ્રેસના મેયર અને કાઉન્સિલર ઉમેદવારો જ ચૂંટણી જીતશે.

તેમણે વધુમાં કહ્યું કે, ભોપાલ શહેરની ગંગા-જામુની પરંપરા દેશભરમાં પ્રખ્યાત છે. કેટલાક લોકો સમાજને જોડે છે અને કેટલાક તોડી નાખે છે. કોંગ્રેસના શાસનમાં ગરીબોને પત્તા આપવામાં આવ્યા, વીજળી આપવામાં આવી. જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે હજારોની સંખ્યામાં વીજળીના બીલ આવવા લાગ્યા અને ભાજપ લોકોનું શોષણ કરે છે. કેન્દ્રની ભાજપ સરકારે મોટા મોટા વચનો આપ્યા હતા જે પૂરા થયા નથી. સિંહે કહ્યું કે આ ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહી છે, આ અપક્ષ અને અન્ય કોઈ પક્ષની ચૂંટણી નથી. કેટલાક લોકો કોંગ્રેસને બદનામ કરવા આવ્યા હતા પરંતુ એવું થશે નહીં.

(10:36 pm IST)