Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

૨૪ કલાકમાં ૧૬,૧૩૫ નવા કેસઃ ૨૪ સંક્રમિતોના મોત

નવી દિલ્હી, તા.૪ઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં સતતત ચોથા દિવસે ૧૬ હજારતી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૧૩૫ નવા કેસ નોંધાયા અને ૨૪ સંક્રમિતોના મોત થયા        હતા. શનિવારે ૧૭૦૯૨નવા કેસ નોંધાયા અને ૧૯ સંક્રમિતોના મોત થયા હતા.

દેશમાં એકિટવ કેસ ૧,૧૩,૮૬૪ પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૫,૨૨૩  થયો છે. અત્યાર સુધીમાં ૪,૨૮,૭૯,૪૭૭ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક ૧૯૭,૯૮,૨૧,૧૯૭ થયો છે, જેમાંથી ગઈકાલે ૧,૭૮,૩૮૩ ડોઝ આપવામાં આવ્યા હતા.

(12:03 pm IST)