Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

નાપાસ છાત્રો માટે શિક્ષકની પોસ્ટ : તમારી સાથે હું નાપાસ

પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષકે લખી પોસ્ટ : કેરળમાં ૧૦માં ધોરણનું પરિણામ આવ્યા બાદ કોઝીકોડેની સ્કુલના શિક્ષકની ભાવુક પોસ્ટ વાયરલ થઈ

કેરળ, તા. : કેરળમાં દસમા ધોરણના ચાર લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ૩૦મી જૂને ૧૦માનું બોર્ડનુ પરીણામ આવ્યું. જોકે પરિણામ આવ્યા બાદ કેરળના એક શિક્ષકની ફેસબુક પોસ્ટ વાઈરલ થઈ રહી છે. પોસ્ટ શિક્ષકે પરીક્ષામાં પાસ થયેલા બાળકો માટે નહીં, પરંતુ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ મનથી હારી જાય તે માટે લખી છે.

શિક્ષકનું નામ વી.પી. પ્રભાકરન છે. જેઓ કોઝીકોડની એક સ્કૂલમાં શિક્ષક છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે વી.પી. પ્રભાકરણે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીઓ નહીં, પરંતુ તેઓ પોતે પણ અસફળ થયા છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, રિઝલ્ટ આવ્યા બાદ મેં ૪૩૪ બાળકોના ગ્રુપમાંથી માત્ર તેમને ફોન કર્યો જેઓ પરીક્ષામાં નાપાસ થયા હતા. મને એવું લાગી રહ્યું હતું કે હું પણ તેમની સાથે પરીક્ષામાં નાપાસ થયો છું.

પ્રભાકરણે જણાવ્યું કે, તેમની સ્કૂલના તમામ ટીચર્સ અને અન્ય લોકોએ વિચાર્યું હતું કે વખતે એકપણ વિદ્યાર્થી નાપાસ નહીં થાય. જે વિદ્યાર્થી પોતાના અભ્યાસમાં નબળા હતા, તેમના પર શિક્ષકોએ વધારે ધ્યાન આપ્યુંતેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હતા જેમને વર્ણમાળા લખવામાં પરેશાની હતી. તેમણે લખ્યું, આવા વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમ અને દેખરેખથી શીખવાડાયું હતું. શિક્ષણ આગળ લખે છે, કદાચ બાળકોએ પોતાના જીવનમાં પહેલા ખૂબ હૂંફનો અનુભવ કર્યો હશે અને શિક્ષકો માટે પણ, વિદ્યાર્થીઓ માટે પ્રેમ અને દેખરેખની પહેલી તક હશે.

તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, કદાચ કોઈ શિક્ષક વિદ્યાર્થીના નાપાસ થવા પર પોતાને દોષી માને છે. જીત અને હાર વચ્ચે શું અંતર હોય છે ? બસ તેના વિશે વિચારી રહ્યો છું.

બની શકે કે વિદ્યાર્થીને ભણાવવામાં અમારાથી કોઈ ખામી રહી ગઈ હોય. તેમણે કહ્યું કે, તેમને આશા છે કે વિદ્યાર્થીઓ ફરીથી લેવાતી પુનર્મુલ્યાંકન પરીક્ષામાં પાસ થશે. તેમણે આગળ કહ્યું, ઘણા સફળ થયેલા બાળકો સ્કૂલમાં સારા નહોતા તેમણે માત્ર ક્લાસની સીમાઓથી બહાર સફળતા મેળવી છે.

(7:55 pm IST)