Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી સુલોચનાનું ૯૪ વર્ષની વયે અવસાન: નરેન્દ્રભાઈએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

જુના જમાનાની સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી સુલોચનાનું ૯૪ વર્ષની વયે અવસાન થયું છે. પડદા પર બની હતી રાજેશ ખન્નાની માતા: સુલોચના ૪૦ થી ૫૦ના દાયકામાં ખૂબ જ જાણીતી અભિનેત્રી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટર ઉપર મરાઠીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

 

કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીને લાંબા સમયથી શ્વાસ લેવામાં તકલીફ હતી.  આ સાથે તેમને ઉંમર સંબંધિત બીમારીઓએ પણ ઘેરી લીધી હતી. તેમને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી અને ઘણીવાર તેમની તબિયત ખરાબ રહેતી હતી.  પીઢ અભિનેત્રીના નિધનના સમાચારથી બોલિવૂડમાં પણ શોકનો માહોલ છે.

 

૯૪ વર્ષીય સુલોચનાને થોડા મહિના પહેલા ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  જોકે બાદમાં તેને રજા આપવામાં આવી હતી.  હવે ફરી એકવાર તેમની તબિયત બગડી અને તેમને મુંબઈની સુશ્રુષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.  

 

સુલોચનાની પુત્રી કંચન ઘાણેકરે તેની માતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. આવતીકાલે સોમવારે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પ્રભાદેવી સ્થિત તેમના ઘરે રાખવામાં આવશે.  આ પછી અભિનેત્રીના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક સ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.

(11:06 pm IST)