Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ભારતીય મુળના રાહુલે ૭૦ પ્રદર્શનકારીઓને ઘરમાં શરણ આપીઃ લોકોએ 'નાયક' કહ્યા

વોશીંગ્ટનઃ આફ્રિકી-અમેરીકી જયોર્જની મોત બાદ વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય મુળના રાહુલ દુબેએ ૭૦થી વધુ પ્રદર્શનકારીઓ પોતાના ઘરે શરણ આપી લોકોના દીલ જીતી લીધા હતા. સોશ્યલ મિડીયામાં રાહુલને ''નાયક'' ગણાવતી અસંખ્ય પોસ્ટ વાયરલ થઇ છે. રાહુલે આ ઘટનાને ''વીશુધ્ધ આતંકની ૧૦ મીનીટ'' ગણાવી જણાવેલ કે પોલીસ કાળા મરચાનો સ્પ્રે કરતી હતી. કોઇ વિકલ્પ ન હતો. ભીડ વાવાઝોડાની જેમ દોડી રહી હતી. મે મારા ઘરના દરવાજા ખોલી નાખ્યા અને તેમને અંદર આવવા દીધા. કફર્યું પુરો થતા પ્રદર્શનકારીઓ સવારે નીકળી ગયેલ. ત્યારબાદ રાહુલ ''નાયક'' રૂપે ઉભરી આવેલ.

(3:23 pm IST)