Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

બૉલીવુડ એક્ટર રણવીરસિંહના દાદીનું નિધન

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રણવીર સિંહના દાદીનું નિધન થયું છે લાંબા સમયથી બીમાર રણવીર સિંહનાં દાદી અંજુ ભવનાનીનું નિધન થયું છે અચાનક થયેલાં નિધન બાદ રણવીર સિંહે હાલમાં તેનાં તમામ શૂટ અને પ્રોગ્રામ્સ કેન્સલ કરી દીધા છે.

  રણવીર સિંહ તેનાં દાદીની ઘણો જ નજીક હતો. એક ઇન્ટરવ્યુંમાં તેણે આ વાત પણ જણાવી હતી. તેની ગ્રાન્ડમધર વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે, 'તે મારા માટે ઓક્સિજન અને પાણી જેટલી જ જરૂરી છે. હું સૌની સાથે ઝડપથી જોડાઇ જવું છું. પછી તે મારા ફેન્સ હોય કે મારી ફેમિલી હોય. મારી પરવરિશ જ એ પ્રકારે થઇ છે. મારા ઘરમાં બધા હમેશાં એકબીજાને હગ અને કિસ કરતાં રહેતા હોય છે.'

(1:20 pm IST)