Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગિલગીટ બાલ્ટિસ્તાનમાં ચુંટણી યોજવાનાં પાક. સુપ્રિમ કોર્ટના હુકમ પર ભારતનો આકરો વિરોધ

ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ

 

નવી દિલ્હી:ભારતે પાકિસ્તાનને PoK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) ખાલી કરવા માટે જણાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) કહ્યુ કે, પાકિસ્તાન ગિલગિટ- બાલ્ટિસ્તાન સહિત સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. પાકિસ્તાને પોતાનો ગેરકાયદેસર કબ્જો ક્ષેત્રોમાંથી તુરંત હટાવી દેવો જોઇએ.

ભારતે ગિલગિટ-બાલ્ટિસ્ટાનમાં લોકસભા ચૂંટણી કરાવા માટેના પાકિસ્તાન સુપ્રિમ કોર્ટનાં આદેશ અંગે ઇસ્લામાબાદની સમક્ષ કડક ટિપ્પણી કરી છે.

વિદેશમંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનને જણાવી દેવામાં આવ્યું છે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાનને પોતાનાં બિનકાયદેસર કબ્જાથી વિસ્તારોને તુરંત મુક્ત કરી દેવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને હાઇકોર્ટે હાલમાં પોતાનાં આદેશના 2018નાં ગવર્નમેન્ટ ઓફ ગિલગિટ બાલ્ટિસ્તાન ઓર્ડરમાં નવી જોગવાઈ કરવાની પરવાનગી આપી દીધી જેથી વિસ્તારમાં લોકસભા ચૂંટણી કરાવી શકાય.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનનાં વરિષ્ઠ રાજદ્વારીઓનાં વિરોધ અંગે પત્ર ઇશ્યુ કર્યો તથા કથિત ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનનાં સુપ્રીમ કોર્ટનાં આદેશ અંગે પાકિસ્તાન સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે.

નિવેદનમાં જણાવાયું છે કે, સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થાય છે, સંપુર્ણ રીતે કાયદો અને અપરિવર્તનીય વિલય હેઠળ ભારતનું અભિન્ન અંગ છે.

(12:29 am IST)