Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પાકની અવળચંડાઇઃ અખનૂરથી લઇને ઉડી સુધી એલ.ઓ.સી. પર ગોળાઓની ધણધણાટીઃ ભારતની જવાબી કાર્યવાહીમાં પાક સેનાને પણ નુકસાન

જમ્મૂઃ અખનૂરના પલ્લાંવાલા સેકટરથી લઇ કાશ્મીરના ઉડી સેકટર સુધી પાક સેનાએ એલઓસી પર ઘણા સ્થાનો પર મોર્ચા ખોલ્યા છે. સીઝ ફાયર છતાં તે સેકટરોમાં તોપખાના તથા મોર્ટારથી ગોળાઓ વરસાવી રહ્યું છે. ભારત પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે જેનાથી એને પણ ભારે નુકશાન થયું છે.

પાકએ રમઝાન દરમ્યાન સેહરીના સમયે ઘણા ગામોને નિશાન બનાવી ગોળા વરસાવ્યા આના કારણે ઘણા ઘરોને નુકશાન થયું. જાનવરોની પણ માઠી દશા થઇ. ભારતીય સેનાનો દાવો છે જવાબી કાર્યવાહીમાં પાકને મોટું નુકશાન થયું. ઘણા વિસ્તારોમાં દહેશતનો માહોલ ઉભો થયો છે ઉપરાંત આજુબાજુમાં પણ ગોળા વરસાવ્યા.

(11:33 pm IST)