News of Monday, 4th May 2020
ન્યુઝર્સી : ફાલુન દાફા અથવા ફાલૂન ગોંગએ મન અને શરીરનો એક ઉચ્ચ સ્તરીય સાધના અભ્યાસ છે. પ્રાચીનકાળથી આ અભ્યાસ એક જ ગુરૂથી એક જ શિષ્યને હસ્તાંતરિત થતો આવ્યો છે. આ અભ્યાસ શીખવે છે કે કેવી રીતે હ્ય્દયને સત્યતા, કરૂણા અને સહનશીલતા તરફ કેળવવું.
ફાલુન દાફામાં પાંચ સૌમ્ય અને પ્રભાવી વ્યાયામ શીખવવામાં આવે છે, જે ઝડપથી ઉર્જા ચેનલો ખોલવામાં, શરીરને શુધ્ધ કરવામાં, તણાવથી રાહત આપવામાં અને આંતરિક શાંતિ પ્રદાન કરવામાં સહાયક બને છે. મન અને શરીરનો સંયુકત અભ્યાસ હોવાથી, લોકોને ટૂંકા સમયમાં આશ્ચર્યજનક આરોગ્ય લાભ મળે છે.
ટેકસાસના બેલર કોલેજ ઓફ મેડિસિનના ઇમ્યુનોલોજીનમ પ્રોફેસર ડો.લીલી ફેંગની શોધ અનુસાર, ફાલુન દાફાનો અભ્યાસ બીમારીની વિધ્ધ રોગ પ્રતિકારક શકિત વધારવામાં કારગત છે. ડો. લીલી ફેંગે ખાસ કરીને શ્વેત રકતકણો, ન્યુટ્રોફિલ્સના જીવનકાળ અને કાર્યની શોધ કરી. તેના પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે ફાલુન દાફા અભ્યાસીઓના ન્યુટ્રીડિલ્સનું ઇન-વિટ્રી જીવનકાળ નિયંત્રિત સમૂહની તુલના કરતા ૩૦ ગણુ વધુ હતું અને તેઓની કાર્યશીલતા પણ ઉચ્ચ શ્રેણીની હતી. આ પરિણામ બીમારીઓથી પ્રતિરક્ષા અને સ્વાસ્થ્ય લાભો દર્શાવે છે.
ફાલુન દાફાને મે ૧૯૯૨ માં ચીનમાં શ્રી લી હોંગઝોએ જાહેરમાં રજૂ કર્યો હતો. આજે ૧૧૪ થી વધુ દેશોમાં ૧૦૦ મિલિયનથી વધુ લોકો દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેના સ્વાસ્થ્ય લાભો અને આધ્યાત્મિક ઉપદેશોને કારણે, ફાલુન દાફા ચીનમાં એટલું લોકપ્રિય બન્યું કે ૧૯૯૯ સુધીમાં, ૭ થી ૧૦ કરોડ લોકોએ તેનો અભ્યાસ શરૂ કર્યો. તે સમયે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનું સભ્યપદ ૬ કરોડ હતું.
નાસ્તિક વિચારધારા હોવાને કારણે, ચીની કમ્યુનિસ્ટ પાટીએ ફાલુન દાફાની વધતી લોકપ્રિયતાને તેના સત્તા માટે પડકાર માન્યો અને ૨૦ મી જુલાઈ, ૧૯૯૯ ના તેના પર પ્રતિબંધ મૂકયો અને નિર્દય સતાવણી શરૂ કરી જે આજ સુધી ચાલુ છે. પાછલા ત્રણ મહિનાથી, વુહાન કોરોના વાયરસ મહામારીનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જયાં લગભગ ,૮૧,૦૦૦ કેસ નોંધાયા છે, જેમાં ૩૨૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. આ ચીની સરકારના સત્ત્।ાવાર આંકડા છે, જયારે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર વાસ્તવિક મૃત્યુઆંક ૧૦ ગણાથી પણ વધુ હોઈ શકે છે.
આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વુહાન શહેરના ફાલુન દાફા અભ્યાસીઓ પોતા તો મહામારી સંક્રમણથી બચી જ ગયા તે ઉપરાંત પોતાની જાનની પરવાહ કર્યા વિના સંકટમાં ઘેરાયેલા વુહાન વાસીઓને ફાલુન દાફાના સ્વાસ્થ્ય લાભ અને તેના ઉપચારની શકિતના સંદેશાને ફેલાવી રહ્યા છે
ભારતમાં સંક્રમણને પ્રસરતો રોકવા સરકારે લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપી છે. આ સમયનો સદ્દપયોગ ફાલુન દાફા અભ્યાસ શીખવામાં અને આધ્યાત્મિક વિકાસ સાથે પોતાના પ્રતિરોક શકિતમાં વધારો કેમ ન કરવો તે માટે કરવાનો છે.
લાઇફ એન્ડ હોપ રીન્યુડ - હોલિંગ પાવર ઓફ ફાલુન દાફા' પૂસ્તકમાં ફાલુન દાફાના આરોગ્ય લાભો વાંચી શકો છો. ફાલુન દાફા ભારતના લગભગ બધા મુખ્ય શહેરોમાં શીખવવામાં આવે છે. વધુ માહિતી માટે www.falundafa.org ઉપર વિઝીટ કરી શકાય છે. અથવા ૮૦૮૦૧ ૫૮૭૭૮ ઉપર સંપર્ક કરી શકાય છે.