Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોનાનો ખાતમો થતા ઓછામાં ઓછા બે વર્ષનો સમય લાગશે : બીજો રાઉન્ડ વધારે ભયાનક હશે

વિશ્વની લગભગ 70 ટકા વસ્તી ચેપ લાગી શકે: હર્ડ ઇમ્યુનિટી પરના નવા સંશોધન દ્વારા દાવો

નવી દિલ્હી : એક નવા સંશોધનનાં રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે આ બીમારીનો બીજો રાઉન્ડ આવવાનો છે, જે જીવલેણ હોઈ શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે રોગચાળો બંધ થવામાં ઓછામાં ઓછા બે વર્ષનો સમય લાગશે.

 હર્ડ ઇમ્યુનિટી પરના આ નવા સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વની લગભગ 70 ટકા વસ્તી ચેપ લાગી શકે છે. ટૂંકાગાળામાં કોઈકપણ રીતે કોવિડ 19 રોગચાળો નિયંત્રિત કરી શકાશે નહીં. વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરશે નહીં. અને આ કુદરતી પ્રક્રિયાને બે વર્ષ લેવાનો અંદાજ છે. આ વિશે રસપ્રદ પાસાં સાથે થયેલા સંશોધનના તારણો રસપ્રદ છે

  . અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીના ચેપી રોગ સંશોધન કેન્દ્રના સંશોધકોએ 300 વર્ષના ઇતિહાસમાં ફલૂ સંબંધિત મોટી રોગચાળાઓનો અભ્યાસ કર્યો છે. ખાનગી ન્યૂઝ અને એટલાન્ટા જર્નલમાં પ્રકાશિત અહેવાલો અનુસાર સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે પ્રથમ રાઉન્ડના છ મહિના પછી રોગચાળાના લગભગ દરેક બીજા રાઉન્ડ આવે છે. જે વધુ જીવલેણ સાબિત થાય છે. લગભગ બે વર્ષ સુધી આ રાઉન્ડ આવે છે, પરંતુ પછીના રાઉન્ડ પ્રમાણમાં ઓછા અસરકારક હોય છે.

  પ્રકાશિત થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળોનો સમય દોઢ થી બે વર્ષનો છે કારણ કે તેની વેક્સિન તૈયાર કરવામાં વિકસાવવામાં ઘણો સમય લાગે છે. વર્તમાન કોવિડ 19 ના કિસ્સામાં, 60 થી 70 ટકા વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં બે વર્ષનો સમય લાગશે, કારણ કે વિશ્વમાં ચેપના ફક્ત 34 લાખ કેસ છે, જે કુલ વસ્તીનો ખૂબ જ નાનો હિસ્સો છે. વૈજ્ઞાનિકો હજી સુધી તે જાણતા નથી કે એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થનારી વ્યક્તિ શું ભવિષ્ય માટે ઇમ્યુન થઇ જાય અથવા તેની આ ઇમ્યુનિટી કેટલો સમય રહેશે.સીડીસીના ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે પહેલાથી જ રોગચાળાના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે,તે પહેલાં રાઉન્ડ કરતા વધુ જીવલેણ સાબિત થઈ શકે છે.

(11:58 am IST)