Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભાવનગરમાં કોરોના વિસ્ફોટઃ એક સાથે ૧૭ પોઝીટીવ કેસ

પખાલીવાડ વિસ્તારમાં દંપતિ અને તેનો પૂત્ર પણ ઝપટેઃ ચિત્રા અને સંઘેડીયા બજાર નવા વિસ્તારમાં વાયરસ પ્રસરતા ખળભળાટ

 ભાવનગર તા. ૪ : ભાવનગરમાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોંધાતા કુલ પોઝીટીવની સંખ્યા વધીને ૭૩ થઇ છે. શહેરનાં પખાલીવાડમાં રહેતા યુવાનની પત્ની અને પુત્ર સહિત ૧૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરના પિત્રાઓ સંધેડીયાબજાર નવા વિસ્તારમાં કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

ભાવનગરમાં અત્યાર સુધી કુલ ૭૩ પોઝીટીવ કેસ નોંધાયા છેજેમાં પાંચ દર્દીના મોત નિપજયા છે. અને ર૩ દર્દી સાજા થયા છે. આથી હવે ભાવનગરમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૪પ ની છે એક સાથે ૧૭ કેસથી ભાવનગરમાં ભયની લાગણી ફેલાઇ છે.

આજે ભાવનગરમાં નોંધાયેલા પોઝીટીવ કેસમાં  બોરડીગેઇટ વિસ્તારમાં રહેતા રેખાબેન ખોડાભાઇ પરમાર, ગૌરીબેન ધનેશભાઇ સુમરા, રેખાબેન સવજીભાઇ સુમરા, મંજુલાબેન મકવાણા, ચંદ્રીકાબેન ધનજીભાઇ શરસરા, સી.ડીવીઝનમાં રણજીતસિંહ નરસિંહભાઇ મચ્છર, કરચલીયાપરામાં રહેતા માયાભાઇ દલપતભાઇ વાળા, મોચી શેરીમા રહેતા આરીફભાઇ સતારભાઇ પઢીયાર, પખાલીવાડ વિસ્તારમાં રહેતા નફીસાબેન મહેબુબભાઇ શેખ, મહેબુબભાઇ અલીભાઇ શેખ, સમીરભાઇ મહેબબુભાઇ પરમાર, યાસ્મીનબેન મહેબુબભાઇ પરમાર, મહમદઝેદ ફારૂકભાઇ શેખ, રફીશા હુસેન ફારૂકભાઇ શેખ, શાહભાઇ ડોલુભાઇ બેલીમ, જીનાવબેન સવજીભાઇ બેલીમ અને ઇકબાલભાઇ ભીખુભાઇ બેલીમનો સમાવેશ થાય છે.

આ તમામ પોઝીટીવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.(૬.૫)

(10:44 am IST)