Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જમ્મુ- કાશ્મીરના કુલગામમાં સુરક્ષાબળો સાથેની અથડામણમાં ૨ આતંકી ઠાર

પોલીસના જણાવ્યા પ્રમાણે, જે આતંકીઓ ઠાર મરાયા તેમના જૂથ દ્વારા તાજેતરમાં જ ૩ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આવેલા મંજગામાં શનિવારે સુરક્ષાબળો સાથે અથડામણમાં ૨ આતંકીઓ ઠાર મરાયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ટ્વીટ પ્રમાણે, અમે એ જ ગ્રુપના આતંકીઓને દ્યેર્યા હતા, જેમણે તાજેતરમાં જ ૩ નાગરિકોની હત્યા કરી હતી.

આ પહેલા ૧૫ માર્ચે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના ૪ આતંકીઓને ઠાર માર્યા હતા.આતંકી વટરીગ્રામ ગામના એક દ્યરમાં હતા. તે બાથરૂમમાં ખાડો કરીને સંતાયા હતા. સુરક્ષાબળો જેવા ત્યાં પહોંચ્યા તેમને ફાયરિંગ શરૂ કર્યું હતું, જવાનોએ બાથરૂમમાં દ્યુસીને આતંકીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. આ જ દિવસ સોપોરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મરાયો હતો. તેની પાસેથી પિસ્તોલ, મેગેઝીન અને બુલેટ્સ પણ જપ્ત કરાઈ હતી.

(4:04 pm IST)