તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ પર દરોડા પાડ્યા બાદ આવકવેરા વિભાગને 650 કરોડની આવકની વિસંગતતા મળી છે. આઇ-ટી વિભાગ ફેન્ટમ ફિલ્મ્સથી સંબંધિત લોકોના ઘરો અને ઓફિસોની તલાશી લઈ રહ્યું છે.
મુંબઇ અને પુણે, આવકવેરા વિભાગને તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ દ્વારા જંગી માત્રામાં રોકડ અને ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા છે.
આઇ-ટી અધિકારીઓનો દાવો છે કે તેમની તપાસ દરમિયાન તેઓએ "અગ્રણી અભિનેત્રી (તાપ્સી પન્નુ) દ્વારા રૂપિયા 5 કરોડની રોકડ રસીદના પુરાવા પ્રાપ્ત કર્યા હતા." અનુરાગ કશ્યપના સત્તાવાર અને રહેણાંક મકાનોમાં દરોડા પાડનારી તપાસ એજન્સીએ પણ આશરે 20 કરોડનો ટેક્સ આપવો પડે એટલી રકમોની એક ડિરેક્ટરની બોગસ લેવડદેવડ પ્રારંભિક તપાસમાં મળી હોવાનો દાવો કર્યો છે.
તાપસી પન્નુએ આશરે 5 કરોડ રૂપિયાની રોકડ પોતાની પાસે હોવાનું સ્વીકારયુ છે. તેની કંપની પણ આવકવેરાની ચોરીમાં સામેલ હોવાની શંકા છે. તેના એન્ડોર્સમેન્ટ સોદા અને ફિલ્મ સાઇનિંગની રકમ આઇ-ટી સ્કેનર હેઠળ છે. ફિલ્મ સાઇનિંગની કેટલીક રકમ કરોડોની છે. અભિનેત્રીનું પ્રારંભિક નિવેદન નોંધાયું હતું, આજે અભિનેત્રીનું વિગતવાર નિવેદન નોંધ્યું છે.
આઇ-ટી અધિકારીઓને શંકા છે કે તેના ફોન પરથી કેટલાક ડેટા ડીલીટ નાખવામાં આવ્યા છે. તેઓ ડેટા પુન:પ્રાપ્ત કરવા માટે નિષ્ણાતોની મદદ લઈ રહ્યા છે. આગામી દિવસોમાં તાપસીને ફરીથી આઇ-ટી અધિકારીઓ દ્વારા સમન્સ પાઠવવામાં આવી શકે છે.
ફેન્ટમ ફિલ્મ્સના શેરધારકો ઉપર આશરે ૬૦૦ કરોડની આવકવેરાની ચોરીની શંકા છે. શેરધારકો ફેન્ટમ ફિલ્મ્સના હિસ્સાનું વેચાણ કરે છે અને તેઓએ તેમાંથી બનાવેલા નાણાં માટે આવકવેરો ભરતા નથી.
આઇ-ટી અધિકારીઓને એવી પણ શંકા છે કે તેમણે બોગસ અને બનાવટી બિલો બનાવ્યા છે. અનુરાગ કશ્યપના ફોન પરથી ડેટા ડિલીટ થઈ ગયો છે અને ડિલીટ કરાયનું દેખાઈ રહ્યું છે. અનુરાગ ફેન્ટમ ફિલ્મ્સના શેરહોલ્ડરોમાંના એક હતા, જે ઓક્ટોબર 2018 માં વિખેરી નાખવામાં આવેલ હતું.
આઇટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમની શોધ દરમિયાન “અગ્રણી ફિલ્મ પ્રોડક્શન હાઉસ (ફેન્ટમ ફિલ્મો) દ્વારા વાસ્તવિક બોક્સ ઓફિસના આવકની તુલનામાં આવક મોટા પાયે છુપાવ્યાના પુરાવા શોધી કાઢવામાં આવ્યા છે. કંપનીના અધિકારીઓ આશરે 300 કરોડની આવકની વિસંગતતા અંગે કારણો આપી શક્યા નથી.”
અધિકારીઓએ ફિલ્મ ડિરેક્ટર અને શેરહોલ્ડરોમાં પ્રોડક્શન હાઉસના શેર ટ્રાન્ઝેક્શનની હેરાફેરી અને અન્ડર-વેલ્યુએશનને લગતા પુરાવા પણ શોધી કાઢયા છે, જેમાં આશરે. 350 કરોડનો ટેક્સ બોજો આવે છે.
અનુરાગ કશ્યપ સહિત ઘણા શેરહોલ્ડરોનો મોબાઇલ ડેટા ડીલીટ કરવામાં આવ્યો હતો. સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુ પછી બોલીવુડની હસ્તીઓ પર એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ફફડાટ શરૂ થયા બાદ ફોન ડેટા ડીલીટ કરી નાખવામાં આવ્યો હોવાની આશંકા છે.
ગુરુવારે આઇટી અધિકારીઓએ કરચોરીના આરોપસર ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, તાપ્સી પન્નુ, ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ અને એક્સીટ એન્ટરટેઈનમેન્ટ પર સર્ચ અને સર્વે કામગીરી શરૂ કરી હતી.
મુંબઇ, પુણે, દિલ્હી અને હૈદરાબાદમાં શંકાસ્પદ લોકોના સત્તાવાર અને રહેણાંક મકાનોમાં શોધખોળ કરવામાં આવી રહી છે.
“આ જૂથ મુખ્યત્વે મોશન પિક્ચર્સ, વેબ સિરીઝ, અભિનય, દિગ્દર્શન અને હસ્તીઓ અને અન્ય કલાકારોના પ્રતિભા મેનેજમેન્ટના ઉત્પાદનમાં રોકાયેલું છે.
કુલ 28 જગ્યાઓ આ દરોડામાં, જુદા જુદા સ્થળોએ આવરી લેવામાં આવી રહી છે. જેમાં રહેઠાણો અને કચેરીઓ શામેલ છે, તેમઆઇ-ટી વિભાગે ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું તેવું પ્રસિદ્ધ થયું છે.
આઇ-ટી વિભાગ સર્ચ ચાલુ રાખશે અને આવતીકાલે ફરીથી તાપ્સી અને અનુરાગ સહિતના શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે.