Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

આશ્રમના અમુક ભાગનો રૂ. ૧૦૭ કરોડમાં સોદો

યોગેશ ઠક્કર દ્વારા ચેરિટી કમિશનર સમક્ષ વિરોધઃ રાજીવ બજાજ આશ્રમનો ભાગ ખરીદી રહ્યા છે

રાજકોટ : ઓશો આશ્રમનો અમુક ભાગ રૂ. ૧૦૭ કરોડમાં વેચવાની અરજી કરવામાં આવી છે. ઓશોપ્રેમી યોગેશ ઠક્કરે (મો. ૭૦૨૦૩ ૦૭૭૨૧) જણાવ્યું હતું કે, આશ્રમના ટ્રસ્ટીઓએ ચેરિટી ઓફિસ મુંબઇમાં અરજી કરી છે, જેનો વિરોધ પણ નોંધાયો છે. આ કેસનું હિયરીંગ ચાલુ છે.

ટ્રસ્ટીઓ આશ્રમનો અમુક ભાગ રૂ. ૧૦૭ કરોડમાં ઉદ્યોગપતિ રાજીવ બજાજને વેચવા માંગે છે તે માટે અરજી કરાઇ છે. યોગેશ ઠક્કર કહે છે કે, ત્રણ વિદેશી નાગરિકો અને ટ્રસ્ટીઓ મહારાષ્ટ્રમાં રાજકીય દબાણ લાવીને ઓશો આશ્રમનું પતન કરવા ઇચ્છે છે. આ લોકોની કુવૃતિ ભારતની આધ્યાત્મિક ધરોહરને ખુબ જ નુકસાન કરે તેવી છે.

(4:06 pm IST)