Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

શિવસેનામાં બળવા અંગે ઉદ્ધવને આપી હતી ચેતવણીઃ અજીત પવાર

૫ુણેઃ એનસીપીના સીનીયરનેતા અજીત પવારે કહયુ કે પક્ષપ્રમુખ શરદ પવાર અને પક્ષના અન્‍ય કેટલાક લોકોએ તત્‍કાલીન મુખ્‍યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના પક્ષ શિવસેનામાં સંભવિત બળવા બાબતે ચેતવ્‍યા હતા પણ તેમને વિશ્વાસ હતો કે તેમના ધારાસભ્‍યો આવુ કોઇ પગલુ નહી લેએક મીડીયા ઇન્‍ટરવ્‍યુ દરમ્‍યાન જયારે અજીત પવારને પૂછવામાં આવ્‍યુ કે શું એમવીએ સરકારના લોકોને શિવસેનામાં બળવાનો કોઇ આભાસ હતો? તો જવાબમાં પવારે કહયુ કે તેમને પહેલાથી સંકેત મળી રહયા હતા અને તે પછી ઠાકરેને એ બાબતે જાણ કરાઇ હતી. અજીત પવારે કહયુ કે શરદ પવારે પોતે ઠાકરેને જાણ કરી હતી. અજીત પવારે દાવો કર્યો કે મે ઉધ્‍ધવજીને આ અંગે ચેતવણી આપી હતી. ઉધ્‍ધવજીએ કહયુ કે તેમણે પણ આવુ સાંભળ્‍યુ છે અને મને કહયુ કે તેઓ એકનાથ શિંદે સાથે વાત કરશે. તેમણે કહયુ હતુ કે આ પક્ષનો આંતરિક મામલો છે અને તે તેને સુલઝાવી લેશે

 

(4:30 pm IST)