Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

૨૪ કલાકમાં ૧૨૮૯૯ કેસઃ ૧૦૭ના મોત

કેસ ઓછા થયા છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી

નવી દિલ્હી, તા. ૪ :. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ભલે ઓછી થઈ રહી હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૮૯૯ નવા કેસ સામે આવ્યા છે અને ૧૦૭ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧૦૭૯૦૧૮૩ થઈ છે. જેમાં ૧૫૫૦૨૫ એકટીવ કેસ છે અને અત્યાર સુધીમાં ૧૦૪૮૦૪૫૫ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૫૪૭૦૩ લોકોના મોત થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૨૮૪૧ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ. આ સાથે કુલ ટેસ્ટીંગની સંખ્યા ૧૯૯૨૧૬૦૧૯ થઈ છે.

(11:06 am IST)