Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પાકિસ્તાને ફરી કર્યુ સીઝ ફાયરનું ઉલ્લંઘનઃ ગોળીબારમાં જવાન 'લક્ષ્મણ' શહીદ

જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં આ પહેલા ૩ જવાનો શહીદ થઇ ચુકયા છે

શ્રીનગર, તા.૪: જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લા પાસે અંકુશ રેખા (એલઓસી) પર બુધવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયો છે. રક્ષા પ્રવકતાએ જણાવ્યું છે કે એલઓસી પર યુદ્ઘ વિરામનું ઉલ્લંદ્યન કરી પાડોસી દેશ દ્વારા સતત કરવામાં આવી રહેલા ફાયરિંગમાં આ વર્ષે વધુ ચાર જવાન શહીદ થઇ ચુકયા છે. સિપાહી લક્ષ્મણ જોધપુરના રહેવાસી છે.

પ્રવકતાના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ બુધવારના રોજ પણ સુંદરબનીમાં યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને અંધાધુન ફાયરિંગ કર્યું હતું, આ હુમલામાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયા હતા બાદમાં તેમનું મોત થયું હતું.

અમારા જવાનોએ પણ આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રવકતાએ જણાવ્યું હતું કે સિપાહી લક્ષ્મણ એક બહાદુર, પ્રેરણાદાયી અને સમર્પિત જવાન હતા. દેશ તેમની શહાદત અને કર્તવ્ય પ્રતિ તેમની નિષ્ઠાને સદૈવ યાદ રાખશે. આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં આ પહેલા ૩ જવાનો શહીદ થઇ ચુકયા છે.

(10:24 am IST)