Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

દેશદ્રોહનો ગુનો દાખલ : શરજીલના સમર્થનમાં નારા લગાવનારી ઉર્વશી સહિતનાં 50 લોકો ગુન્હો દાખલ

મુંબઇની આઝાદ મેદાન પોલીસે કેસ દાખલ કર્યો : રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ બદલ તમામની સામે કાર્યવાહી

મુંબઇઃ આસામને ભારતથી અલગ પાડી દેવાના સપના સાથે લોકોની ઉશ્કેરણી કરનારો સરજીલ ઇમામ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે, મુંબઇના આઝાદ મેદાનમાં આવા લોકોની એક રેલી થઇ હતી, જ્યાં સુત્રોચ્ચાર થયા હતા શરજીલ તેરે સપનો કો મંજિલ તક પહુંચાયેંગે...જેમાં મુખ્ય ષડયંત્રકારી ઉર્વશી ચૂડાવાલા સહિત 50 લોકો સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરાયો છે.

એક્ટિવિસ્ટ ઉર્વશી સહિતના લોકો સામે દેશદ્રોહની કલમ 124, 153બી, 505 અને 34 હેઠળ મુંબઇની આઝાદ મેદાન પોલીસે કેસ દાખલ કર્યો છે, પોલીસે થોડા દિવસ પહેલાની એક રેલીનો વીડિયો તપાસ્યો હતો, જેમાં બેનરો સાથે દેશદ્રોહી સરજીલને સમર્થન આપવામાં આવી રહ્યું હતુ, સાથે જ સૂત્રોચ્ચાર કરાયા હતા, જેથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ બદલ તમામની સામે કાર્યવાહી કરાઇ છે.

(12:12 pm IST)