Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હું પોતાનો જીવ આપવા તૈયાર છું. જો કે સમજુતી નહી કરુ:મમતા બેનર્જી આક્રમક

રાજીવકુમાર રાજ્યના મુખ્ય અધિકારી છે જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી કોઈ સમજૂતી નહિ કરીએ

નવી દિલ્હી : ચિટફંડ ગોટાળા મુદ્દે કોલકાતા પોલીસ પ્રમુખની પુછપરછ કરવાની સીબીઆઇ વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએકહ્યું કે, હું પોતાનો જીવ આપવા તૈયાર છું. જો કે સમજુતી નહી કરુ. મમતા કાલથી જ કેન્દ્ર સરકારની વિરુદ્ધ ધરણા પર બેઠેલા છે. આજે આ મુદ્દે સંસદના બંન્ને સદનમાં ભારે હોબાળો થયો હતો. 

     મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યારે લોકો રસ્તા પર ટીએમસીનાં નેતાઓ અને કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યા હતા ત્યારે હું રસ્તા પર નહોતી આવી, પરંતુ આ વખતે કોલકાતા પોલીસ પ્રમુખ રાજીવ કુમારનું અપમાન થયું છે અને અમને ગુસ્સો આવ્યો છે. હવે અમે તેના વિરોધમાં ધરણા પર બેઠા છીએ. અમે પોલીસ પ્રમુખ રાજીવ કુમારનું અપમાન નહી સહીએ કારણ કે તેઓ રાજ્યનાં મુખ્ય અધિકારી છે. જ્યા સુધી અમે જીવીત છીએ ત્યા સુધી કોઇ જ સમજુતી નહી કરીએ.

(8:42 pm IST)