Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

શ્રીનગરઃ CRPFના જવાનો પર આંતકીઓનો ગ્રેનેડથી હુમલો

સંખ્યાબંધ વાહનો ક્ષતિગ્રસ્તઃ વિસ્ફોટ બાદ વિસ્તારનો ઘેરાવો કર્યો

શ્રીનગર,તા.૪: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના કવદારા વિસ્તારમાં શંકાસ્પદ ત્રાસવાદિઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડથી હુમલો ફંેકવામાં આવ્યો જેનાથી અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયાના અહેવાલો મળી રહ્યા છે.

પોલીસે જણાવ્યા મુજબ આ દરમ્યાન કોઇ પણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ નથી. એક પોલીસ અધિકારી જણાવ્યા મુજબ શહેરના અંદરના વિસ્તારમાં કવદારી તૈનાત સીઆરપીએફ અધિકારીઓને નિશાન બનાવીને ત્રાસવાદીઓએ બપોરે ગ્રેનેડથી હુમલો કર્યો. તેઓએ જણાવ્યું કે આ દરમ્યાન અનેક વાહન ક્ષતિગ્રસ્ત થયાના અહેવાલ છે. અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટના થોડા સમય બાદ વિસ્તારનો ઘેરવો કરવામાં આવ્યો. અને આ મામલાની જાણકારી વધુમાં મેળવાઇ રહી છે.

(3:42 pm IST)