Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

શીખોની સુરક્ષા પર ધ્યાન આપે પાક સરકાર

નાનાકાના સાહેબ ગુરૂદ્વારા પર પથ્થરમારાની ઘટના પર ભારતે આપી ઉગ્ર પ્રતિક્રિયા

નવી દિલ્હી,તા.૪: શીખોના પવિત્ર ધર્મસ્થળોમાંથી એક પાકિસ્તાન સ્થિત નાનકાના સાહેબ ગુરુદ્વારા પર પથ્થરમારાની દ્યટના પર ભારતે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું છે કે, તે પવિત્ર ધર્મસ્થળ અને શીખો પર હુમલા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરે.

વિદેશ મંત્રાલયે શનિવારે સ્ટેટમેન્ટ જારી કરી કહ્યું કે, 'શીખ સમુદાય પર હુમલો અને ગુરુદ્વારામાં તોડફોડની દ્યટનામાં દોષી લોકોની વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવે. તે સાથે જ પાકિસ્તાન સરકારને પવિત્ર નાનકાના સાહેબ ગુરુદ્વારાની પવિત્રતાને સુરક્ષિત તેમજ સંરક્ષિત રાખવા માટે દરેક ઉપાય કરવા જોઈએ.'

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બપોરે જ ભીડે ગુરુદ્વારાને દ્યેરી લીધું હતું. દ્યટના બાદ ગુરુદ્વારાની આસપાસ મોટી સંખ્યામાં પોલીસને ઉતારી દેવાઈ છે, પરંતુ સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ દ્યટનાથી સબંધિત એક વિડીયો વાઈરલ થયો છે, જેમાં એક કટ્ટરપંથી ત્યાંના શીખોને નાનકાના સાહેબથી ભગાડવાની ધમકી આપી રહ્યો છે.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ટીકાપાત્ર કૃત્ય શીખ યુવતી જગજીત કોરના અપહરણ અને જબરજસ્તીથી ધર્માંતરણ બાદ થયું છે, જેનું ગત વર્ષે ઓગસ્ટમાં તેના દ્યરેથી અપહરણ કરી લેવાયું હતું.' વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ભારત ધાર્મિક સ્થળમાં તોડફોડના નિર્દય કૃત્યની ભારે નિંદા કરે છે. અમે પાકિસ્તાન સરકાર સમક્ષ માગ કરીએ છીએ કે તે શીખ સમુદાયની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્યિત કરવા માટે તાત્કાલીક પગલા ઉઠાવે.'

દ્યટના સાથે સંલગ્ન વિડીયો સામે આવ્યા બાદ ભારતમાં શીખ સમુદાયે શનિવારે દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનની બહાર પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પાક સરકાર સમક્ષ માગ કરી છે કે, શીખોની સુરક્ષા સુનિશ્યિત કરે.

(10:01 am IST)