Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભાજપે પહેલાં ફ્રીમાં કોરોના વેક્સીન આપવાનો કર્યો વાયદો અને સરકારે કર્યો ઈન્કારઃરાહુલ ગાંધીના પ્રહાર

ત્યારે પીએમ મોદીનું શું વલણ છે? શું લોકોને વેક્સીન મળશે કે તેને માટે પણ તેઓએ આત્મનિર્ભર બનવાનું રહેશે.

નવી દિલ્હી : કોરોના વેક્સીન આવવાની આશાની સાથે લોકોના મનમાં સવાલ છે કે આખરે તેમને વેક્સીન ક્યારે મળશે. કોંગ્રેસ પણ આ સવાલ સરકારને કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેકને વેક્સીન મળશે. બિહારની ચૂંટણીમાં ભાજપે કહ્યું હતું કે દરેક બિહારવાસીઓને ફ્રીમાં વેક્સીન મળશે અને હવે ભારત સરકાર તેની ના પાડી રહી છે.

   કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવના નિવેદનનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર કહી રહી છે કે અમે દરેકને વેક્સીન આપવાનો વાયદો કર્યો નથી. આ સમયે પીએમ મોદીનું સ્ટેન્ડર્ડ શું છે. આ પહેલાં કોંગ્રેસે પૂછ્યું કે શું લોકોને વેક્સીન મળશે કે તેને માટે પણ તેઓએ આત્મનિર્ભર બનવાનું રહેશે.

(12:13 pm IST)