Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ધનતેરસના દિવસે કાચ, અેલ્યુમિનિયમ, કાળા રંગ, તેલ ઉત્‍પાદિક વસ્‍તુઓની ખરીદી અશુભ

5 નવેમ્બરના રોજ ધનતેરસનો પવિત્ર તહેવાર મનાવવામાં આવશે, દિવસે માતા લક્ષ્મીની કૃપા પામવા માટે લોકો પોતાના ઘર માટે ઉપયોગી ચીજવસ્તુઓની ખરીદી કરે છે. દિવસે કેટલીક ચીજવસ્તુઓની ખરીદીને શુભ અને કેટલીક ચીજવસ્તુઓની ખરીદીને અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ એવી કઈ ચીજવસ્તુઓ છે કે જેની ખરીદી ટાળવી જોઈએ. કારણકે તે ચીજવસ્તુઓની ધનતેરસ પર ખરીદીથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.

કાચનો સામાન

ધનતેરસના દિવસે ભૂલથી પણ કાચના સામાનની ખરીદી કરવી જોઈએ નહીં, એવું માનવામાં આવે છે કે કાચનો રાહુ સાથે સીધો સંબંધ હોય છે, કારણે ધનતેરસના દિવસે કાચના સામાનની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે.

લોખંડના વાસણ

ધનતેરસના દિવસે કિચનમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓ જેવી કે ધારદાર ચાકૂ અને લોખંડના વાસણો ખરીદવા જોઈએ નહીં.

એલ્યુમિનિયમના વાસણો

ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવા જોઈએ નહીં કારણકે તેનો પણ રાહુની સાથે સંબંધ રહેલો છે અને સાથે-સાથે એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ પૂજા-પાઠમાં પણ કરવામાં આવતો નથી.

કાળા રંગની ચીજવસ્તુઓ

ધનતેરસના શુભ દિવસે કાળા રંગની ચીજવસ્તુઓ ઘરે લાવવી જોઈએ નહીં, કારણકે કાળા રંગને અશુભ માનવામાં આવે છે. અને કાળા રંગને દુર્ભાગ્યનું પણ પ્રતીક માનવામાં આવે છે. માટે કાળા રંગની ચીજવસ્તુઓની ખરીદીથી ધનતેરસના દિવસે દૂર રહેવું જોઈએ.

તેલ

ધનતેરસના દિવસે તેલ અથવા તો તેલમાંથી ઉત્પાદિત ચીજવસ્તુઓ જેવી કે ઘી, રિફાઈન્ડ ઓઈલ વગેરેની ખરીદી કરવી જોઈએ નહીં. પરંતુ, ધનતેરસ પર દીવો પ્રગટાવવા માટે તેલ અને ઘીની જરૂર પડતી હોય છે માટે તેલ અને ઘી વગેરે ચીજવસ્તુઓ અગાઉથી ખરીદી લેવી જોઈએ.

(6:30 pm IST)