Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વિવાદનું કેન્‍દ્ર બનેલા સબરીમાલાનો કબ્જો પ હજાર પોલીસ ટીમના હાથમાં

તિરુવનંતપુરમ: શનિવાર સાંજથી વિવાદનું કેન્દ્ર બનેલા સબરીમાલાનો કબજો 5,000 પોલીસકર્મીઓની ટીમ લઈ લેશે. સબરીમાલાની આસપાસના વિસ્તારોમાં લોકોને એકત્ર થતા રોકવા માટે અનેક જગ્યાએ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 6 નવેમ્બર સુધી સબરીમાલામાં સ્થિતિ રહેશે. 5 નવેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યે મંદિરના દ્વાર ખૂલી રહ્યા હોવાથી બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે.

ચિતિરા અટ્ટા વિશેષમની વિધિને કારણે સબરીમાલા મંદિર 6 નવેમ્બર 2018ના રાત્રે સાડા દસ વાગ્યા સુધી ખૂલ્લું રહેશે. દરમિયાન 5 નવેમ્બરે સવારે આઠ વાગ્યાથી શ્રદ્ધાળુઓ તેમજ મીડિયાને નિલાકલથી પામ્બા વચ્ચે એન્ટ્રી અપાશે. વ્યવસ્થા જાળવી રાખવા માટે આઈજી લેવલના બે અધિકારીઓ તેમજ પાંચ એસપી અને 10 ડીએસપી સહિત 5,000 પોલીસકર્મીઓ દરમિયાન ખડેપગે હાજર રહેશે.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે સબરીમાલામાં મહિલાઓને જવાની પણ છૂટ આપી છે. જેની સામે સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સુપ્રીમના આદેશ છતાંય હજુ સુધી એકેય મહિલા સબરીમાલામાં પ્રવેશી શકી નથી. કેરળની સરકાર સુપ્રીમના આદેશનું પાલન કરાવવા મક્કમ છે, ત્યારે મામલો રાજકીય સ્વરુપ ધારણ કરી ચૂક્યો છે. હાલમાં ભાજપના પ્રમુખ અમિત શાહે પણ ધાર્મિક લાગણીને દુભાવવાનું નિવેદન આપ્યું હતું.

-----------------

(6:30 pm IST)