Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ધનતેરસના દિવસે માતા લક્ષ્‍મી અને ભગવાન કુબેર સાથે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાનો મહિમા

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈ બીજ સુધી રહે છે. ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવાય છે. વખતે તિથિ 5 નવેમ્બર સોમવારે છે. દિવસ ઉજવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે. માનવામાં આવે છે કે દિવસે આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સાથે ભગવાન ધન્વતંરીની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ ધનતેરસ સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ….

ભગવાન ધન્વતંરીનો જન્મદિવસ ધનતેરસ

પુરાણો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન સોનાનો કળશ લઈને ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હતા. સોનાના કળશમાં અમૃત હતું, જેનું પાન કરવાથી દેવતાઓ અમર થઈ ગયા. માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી બાદ દેવી લક્ષ્મી મંથનમાંથી ઉત્પન્ન થયા. જેના કારણે બે દિવસ દિવાળી ઉજવાય છે.

કારણે લીધો હતો ધન્વંતરીએ અવતાર

માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી વિષ્ણુના અંશાવતાર છે, જેમણે સૃષ્ટિમાં આયુર્વેદ અને ચિકિત્સા માટે અવતાર લીધો હતો. ભગવાન ધન્વંતરીના દેવતાઓને વૈધ પણ માનવામાં આવે છે. માન્યતા છે કે દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ધર-પરિવારના બધા લોકો સ્વસ્થ રહે છે. ધન્વંતરી સુવર્ણ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા આથી ધનતેરસ પર વાસણ અને ધાતુની વસ્તુઓ ખરીદવું શુભ માનવામાં આવે છે.

જ્યારે ભગવાને ધારણ કર્યો વામન અવતાર

શ્રીમદ ભાગવત કથા અનુસાર, સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. દેવતાઓની સમસ્યા સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. ભગવાન વામન રાજા બલિ પાસે દાન માંગે છે.

રાજા બલિ પાસે માગ્યું દાન

જ્યારે વામન ભગવાન દાન માગવા આવ્યા તો ગુરુ શુક્રાચાર્યએ તેમને ઓળખી લીધા અને રાજા બલિને દાન આપતા રોક્યા. રાજા બલિ પોતાના ગુરુની વાત માનવાના બદલે દાન આપવાનું વચન આપી દીધું. ત્યારે ભગવાન વામને રાજા બલિ પાસે ત્રણ ડગલા ધરતી માગી.

દેવતાઓને પાછું અપાવ્યું સ્વર્ગનું સિંહાસન

ભગવાન વામને વિશાળ સ્વરૂપમાં એક પગથી પૃથ્વી, બીજો પગ અંતરિક્ષમાં મૂક્યો. પરંતુ ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન બાકી રહ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના માથા પર પગ મૂકવા માટે કહ્યું. જેના કારણે તે સીધો પાતાળ લોક પહોંચી ગયો અને દેવતાઓને રાજ-પાઠ મળી ગયા.

કારણે કહેવાય છે ધનતેરસ

રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈપણ છીનવ્યું હતું તેનું 13 ગણુ વધારે તેમને મળી ગયું. જે દિવસે તેમને રાજ પાઠ મળ્યો હતો, તે દિવસે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની તેરસ હતી. દેવતાઓને 13 ગણુ વધારે મળવાના કારણે તિથિને ધનતેરસ કહેવાય છે.

(12:00 am IST)