Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ઉત્તરાખંડમાં એક વ્યકિતએ આપઘાત કર્યો : મૃતદેહ લેવા સાત પત્નીઓ પહોંચી

દેહરાદુન તા ૩  :  ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં આપઘાત કરનારા એક પુરૂષનો મૃતદેહ લેવા માટે તેની પત્ની હોવાનો દાવો કરતી સાત મહિલાઓ પહોંચી ગઇ હતી. એને કારણે પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી.

૪૦ વર્ષના એક પરૂષે રવિવારે અહીં આપઘાત કર્યો હતો, ત્યારબાદ એક પછી એક પાંચ મહિલાઓ આવી. દરેકે પોતે મરનારની પત્ની હોવાનો અને મરનારને અન્ય મહિલા સાથે કોઇ સંબધ હોવાની માહીતી નહીં હોવાના દાવા  કર્યા હતા. કલાકો સુધી આ લમણાફોડ ચાલી હતી અને છતાં પોલીસ નક્કી કરી શકતી નહોતી કે આ પાંચ-પાંચ મહિલાઓના દાવાનો નિકાલ કેવી રીતે કરવો. એટલામાં બીજી બે મહિલા આવી અને તેમણે પણ પોતે મરનારની પત્ની હોવાનો દાવો કર્યો હતો.

હરિદ્વારની  રવિદાસ કોલોનીમાં રહેતો મરનાર પવન કુમાર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. છેલ્લા થોડા સમયથી તે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. રવિવારે રાત્રે તેણે ઝેર પીધું હતું. તેની પત્નીએ તેને બેહોશ હાલતમાં નજીકની હોસિપટલમાં ખસેડયો હતો, જયાં તે મરણ પામ્યો હતો.તે મરનારની પત્ની હતી કે કેમ એની ખરાઇ અમે કરીએ ત્યાં બીજી ત્રણ-ચાર મહિલા મરનારની પત્ની હોવાનો દાવો લઇને પોલીસ સ્ટેશને આવી હતી. નવાઇની વાત એ છે કે મરનાર પવનના બેન્ક ખાતામાં એક પૈસો પણ નથી અને તે પોતે પણ ભાડાના ઘરમાં રહેતો હતો.

(11:18 am IST)