Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ભારત સામે યુધ્ધનો પ્રારંભ પાકિસ્તાન નહિ કરેઃ ઇમરાન ખાન

વડાપ્રધાન ડહાપણની દાઢ ફુટી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ખાસ દરજ્જાની નાબૂદી મુદ્દે પાકિસ્તાન ભારત સામે ન્યુકિલયર શસ્ત્રોનો ઉપયોગ કે સૈન્ય કાર્યવાહીની પહેલ કબરશે નહીં.

 લાહોરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શીખ સંમેલનમાં સંબોધન કરતા ઇમરાન ખાને કહ્યું, ''બંને પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ છે. તેનો ખતરો વધ્યો તો દુનિયા જોખમમાં મુકાશે. આપણે કયારેય પહેલ કરીશું નહીં.''

''હું નથી માનતો કે યુદ્ઘથી કોઈ સમસ્યાનું સમાધાન આવે. જે આવું માનતો હોય તે વ્યવહારુ નથી. તેણે વિશ્વનો ઇતિહાસ વાંચ્યો નથી. યુદ્ઘથી એક સમસ્યાનું સમાધાન થશે તો બીજી ચાર સમસ્યા ઊભી થશે.''

(3:41 pm IST)