Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી લેવાના ભારત સરકારના નિર્ણયને ઉમંગભેર વધાવતા અમેરિકા સ્થિત કાશ્મીરી પંડિતોઃ એટલાન્ટા જયોર્જીયા ખાતે રેલીના આયોજન દ્વારા મોદી સરકારના નિર્ણયને સમર્થન ઘોષિત કર્યુ

એટલાન્ટાઃ ભારતના જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કરી દેવાના મોદી સરકારના નિર્ણયને અમેરિકામાં વસતા કાશ્મીરી પંડિતોએ ઉમંગભેર આવકાર્યો છે. તથા તેના સમર્થનમાં એટલાન્ટા જયોર્જીયા મુકામે આવેલા CNN હેડ કવાર્ટર્સ ખાતે રેલી યોજી હતી. જેમાં કાશ્મીરી પંડિતો ઉપરાંત અનેક ઇન્ડિયન અમેરિકન્સ પણ જોડાયા હતા.

આ તકે બોલતા કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ૩૭૦મી કલમ દૂર કરાતા હવે કાશ્મીરમાં હિન્દુ,મુસ્લિમ,શીખ,ખ્રિસ્તી,સહિત તમામ કોમના લોકોને સમાન અધિકારો મળશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.  

(12:00 am IST)