Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પાત્રા ચાલના બિલ્‍ડર પાસેથી ભાજપને મળ્‍યુ ૨૮ કરોડનું દાનઃકોંગ્રેસનો પલટવાર

સંજય રાઉત ઉપર આ ચાલ અંગે ગોટાળાનો આરોપ છે

નવી દિલ્‍હીઃ તા.૩ કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા અને મહારાષ્‍ટ્ર કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે ટવીટ કરી આરોપ લગાડેલ  કે, જે પાત્રા ચાલને લઇને ભાજપ સંજય રાઉત ઉપર ગોટાળાનો આરોપ લગાડી રહી છે, તેના જ બીલ્‍ડર વાધવાન પાસેથી ભાજપે પણ ૨૮ કરોડનું દાન લીધુ છે.

પોતાના ટ્‍વીટમાં સાવંતે સવાલ પુછયોકે, શું આ ૨૮ કરોડ ભાજપ જનતાને પરત કરશે? આ ટ્‍વીટ ભાજપ નેતા આશીષ શેલારના નિવેદન બાદ આવ્‍યું છે, જેમાં શેલારે રાઉત ઉપર પાત્રા ચોલના ૬૭૨ પરિવારોના સપનાનું ખુન કરવાનો આરોપ લગાડયો હતો.

શેલારે જણાવેલ કે પાત્રા ચોલ પરિયોજનામાં સરકારી જમીનમાં હેરા-ફેરી કરવામાં આવી છે. મ્‍હાડાના માલીકી હકવાળી જમીન ઉપર અનઅધિકૃત રીતે ખાનગી માલીકોના હક્ક નિર્માણ કરાયા હતા. ૧.૩૯ હજાર કરોડનો ગોટાળો કરવામાં આવેલ.

(4:12 pm IST)