Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

રાહુલ ગાંધી ના પાડે તો અશોક ગેહલોતને પાર્ટી અધ્‍યક્ષ બનાવી શકે છે કોંગ્રેસ

સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં નવા અધ્‍યક્ષ પસંદ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવી છે : રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્‍યક્ષ પદ સંભાળવામાં અચકાઇ રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૩: કોંગ્રેસના સૂત્રોના હવાલાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના મતે જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્‍યક્ષ બનવાની ના પાડશે તો પાર્ટી અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્‍યક્ષ બનાવી શકે છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્‍યક્ષ પદ સંભાળવામાં અચકાઇ રહ્યા છે. સંગઠન ચૂંટણીની -ક્રિયા ચાલી રહી છે. સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં નવા અધ્‍યક્ષ પસંદ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવી છે. જોકે રાહુલ ગાંધીએ અત્‍યાર સુધી સ્‍પષ્ટ જવાબ આપ્‍યો નથી. કોંગ્રેસ ર્વકિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ અધ્‍યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા કહ્યું હતું.

આ કારણે પાર્ટી અશોક ગેહલોતના નામ પર વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્‍હીમાં પાર્ટીના મામલામાં તેમની સક્રિયતા વધી છે. જોકે અશોક ગેહલોત રાજસ્‍થાનના મુખ્‍યમંત્રીનું પદ છોડવા માંગતા નથી. કોંગ્રેસ પાર્ટીમાં મંથન થઇ રહ્યું છે અને રાહુલ ગાંધીને મનાવવાનો -યત્‍ન થશે. જો રાહુલ ગાંધી સ્‍પષ્ટ રીતે ઇન્‍કાર કરશે તો અશોક ગેહલોતને અધ્‍યક્ષ બનાવવાની સંભાવના પર મંથન થઇ રહ્યું છે.જણાવી દઈએ કે આ મહિને ૨૦ ઓગસ્‍ટે કોંગ્રેસ સંગઠનમાં ચૂંટણીની -ક્રિયા પુરી થઇ રહી છે. આ ક્રમમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિના મુખિયા મધુસુદન મિષાી બુધવારે દિલ્‍હી જઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના મીડિયા વિભાગને આ વિશે સવાલ પુછતા તેમણે કશું પણ કહેવાનો ઇન્‍કાર કર્યો છે.

સૂત્રોના મતે રાહુલ ગાંધીએ જ્‍યારે અધ્‍યક્ષ પદ છોડ્‍યું હતું ત્‍યારે પાર્ટી માટે બિન ગાંધી અધ્‍યક્ષની વકાલત કરી હતી. આ પછી પૂર્વ કેન્‍દ્રીય મંત્રી મુકુલ વાસનિકનું નામ અધ્‍યક્ષ પદ માટે સામે આવ્‍યું હતું. જોકે વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને વિનંતી કરીને વચગાળાના અધ્‍યક્ષ બનવા માટે રાજી કરી લીધા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં સત્તાપક્ષ તરફથી મોંઘવારી વધી હોવાની વાત ફગાવવાને લઇને સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આંખો પર અહંકારની પટ્ટી બાંધીને પોતાના મિત્રોને ભારતની સંપત્તિઓ ફ્રી ફંડમાં વેચી રહી છે.

(3:58 pm IST)