Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ઇન્દિરા ગાંધી લેહ ગયા તો પાક. બે ભાગમાં વહેચાયુ, મોદી શું કરશે જોઇએ?

પીએમ મોદીના લેહ પ્રવાસ પર કોંગ્રેસનો કટાક્ષ

નવી દિલ્હી તા. ૩ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખ પ્રવાસ પર હવે રાજનીતિ ચાલુ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ હવે ઈંદિરા ગાંધીના લેહ પ્રવાસનો ફોટો શેર કરીને લખ્યું છે કે જોઈએ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી હવે શું કરે છે. બતાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની આ મુલાકાત ચીનને સંદેશો આપવાના રૂપમાં મનાય છે. મોદી આજે સવારે અચાનક લદ્દાખ પહોંચ્યા છે.

શેર કરેલા આ ફોટોમાં ઈંદિરા ગાંધી સેના જવાનોને સંબોધિત કરતા નજરે આવી રહ્યા છે. ફોટા સાથે મનિષતિવારીએ લખ્યું, જયારે તેઓ (ઈંદિરા ગાંધી) લેહ ગયા હતા તો પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું હતું. જોઈએ છે તેઓ (મોદી) શું કરે છે ? ઇંદિરાનો આ ફોટો ૧૯૭૧ના યુદ્ઘ પહેલાનો છે. જેમાં તેઓએ લેહમાં સૈનિકોને સંબોધિત કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રક્ષા અધ્યક્ષ જનરલ (સીડીએસ) બિપીન રાવત સાથે શુક્રવારે લેહ પહોંચ્યા. મોદી સવારે લગભગ સાડા નવ કલાકે લેહ પહોંચ્યા.

(3:42 pm IST)