Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કાનપુર એન્કાઉન્ટરઃ બદમાશ વિકાસ દુબે ઉપર છે ૬૦ એફઆઈઆરઃ રાજનાથ સરકારમાં મંત્રીની પોલીસ સ્ટેશનમાં ઘુસીને હત્યા કરી હતી

કાનપુરમાં હજુ અથડામણ ચાલુઃ પોલીસ પર ગોળીબાર કરનાર બીજો બદમાશ પણ માર્યો ગયો

લખનઉઃ હિસ્ટ્રીશીટર વિકાસ દુબે એ જ અપરાધી છે જેણે ૨૦૦૧માં રાજનાથ સરકારમાં મંત્રીનો દરજ્જો પ્રાપ્ત સંતોષ શુકલાની પોલીસ સ્ટેશનમાં ઘુસી હત્યા કરી હતીઃ વિકાસની સામે ૬૦ જેટલા કેસ નોંધાયેલા છેઃ તેના ઉપર હત્યા અને હત્યાના પ્રયાસના અનેક કેસ છેઃ એવુ જાણવા મળે છે કે યુપીના બધા રાજકીય પક્ષો ઉપર તેની પકડ છેઃ ૨૦૦૨માં માયાવતી મુખ્યમંત્રી હતા ત્યારે તેણે અનેક ગેરકાયદેસર રીતે જમીનોના કબ્જા કર્યા હતા અને ઘણી સંપત્તિ બનાવી હતીઃ તે જેલમાં હતો છતાં શિવરાજપુરથી નગર પંચાયતની ચૂંટણી જીત્યો હતો

(10:27 am IST)